Posts

Showing posts from September, 2024

વેજલપુર પ્રાથમિક શાળા નંબર 15 ના ધોરણ-6નો વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી

Image
ભરૂચના છાત્રે બનાવેલું મશીન ગટરમાંથી કચરો અને પાણી અલગ કરી દેશે રિપોર્ટર ભરત મિસ્ત્રી, ભરૂચ ઈન્સ્પાયર એવોર્ડ માનકમાં પ્રથમ વખત સરકારી એવી વેજલપુર પ્રાથમિક શાળા નંબર 15 ના ધોરણ-6નો વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે. તેણે મેન્યુઅલી ઓપન ક્લીનર મશીનનું નિર્માણ કર્યું છે.આ મશીન ગટર સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.મશીન સાઈકલની જેમ પેડલ મારીને ચાલે છે જેને એક વ્યક્તિ સંચાલન કરી શકે તે રીતે બનાવવામાં આવ્યું છે. મશીનમાં જેસીબી જેવો પાવડો લગાડવામાં આવ્યો છે. અને સાથે કચરાપેટી પણ જોડવામાં આવી છે. જેના નીચે જાળી લગાડવામાં આવી છે. જેથી ગટરનું પાણી અને કચરો અલગ થઇ જશે અને પાણી ફરી ગટરમાં જાય તે માટેની સુવિધા કરવામાં આવી છે. સાથે સેનેટાઇઝાર નાખવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે. જેથી દુર્ગંધ ફેલાવાની સમસ્યાનો હલ પણ આ મશીનથી લાવી શકાશે.  ઉલેખનીય છે કે, રાજ્યમાંથી ભરૂચ અને વલસાડ ની કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે. તેમજ વર્ષ 2016માં ભરૂચની શબરી શાળાના બાળકની ઈન્સ્પાયર એવોર્ડ માનાક માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ પહેલીવાર એવું બન્યું છે,કે સરકારી શાળાના બાળકની ક...

ભરૂચની આંગણવાડીમાં પોષણ માસ ની ઉજવણી નિમિત્તે વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું

Image
ભરૂચ ની આંગણવાડી માં પોષણમાસ 2024 ની ઉજવણી.      ભરૂચ ની આંગણવાડીમાં પોષણમાસ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી...  રિપોર્ટર ભરત મિસ્ત્રી, સેજો-પશ્રિમ ઘટક-2 માં ભરૂચની આંગણવાડીમાં પોષણ માસ ની ઉજવણી નિમિત્તે વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. તે ઉપરાંત સગર્ભા માતા ધાત્રી માતાઓને પોષણ યુકત આહાર વિશે સમજ આપવામા આવી હતી. ત્યારબાદ આગણવાડીનાં ભુલકાવો તેમજ વાલીઓને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે સ્લોગન આપવામા આવ્યુ છે. એક પેડ માઁ કે નામ. તેજ રીતે પોષણ ભી પઢાઈ ભી દ્વારા જાગૃત કરવામા આવ્યા હતા. #gujaratniparchhai 

સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્કૂલ ગેમ ફેડરેશન દ્વારા યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝળક્યા

Image
અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્કૂલ ગેમ ફેડરેશન દ્વારા યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝળક્યા રિપોર્ટર જ્યોતીન્દ્ર ગોસ્વામી  સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અંકલેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયની અંડર-14 અને અંડર-17ની ટીમ ઝળકી શાળાનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિવિધ શાળાની 32 ટીમોએ ભાગ લીધો હતો. જે સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર-14 ભાઈઓ અને બહેનો તેમજ અંડર-17 ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર-14 ભાઈઓની ટીમ પ્રથમ ક્રમ, અંડર-17 બહેનો ટીમ દ્વિતીય ક્રમ તો ભાઈઓની ટીમ તૃતીય ક્રમ હાંસલ કરતાં શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. #gujaratniparchhai 

બફારાના કારણે બે સ્થળો પરથી સાપ નીકળતા નેચર સેવિંગ ફાઉન્ડેશને રેસ્ક્યૂ કર્યા

Image
આમોદમાં વરસાદના વિરામ પછી બફારાના કારણે બે સ્થળો પરથી સાપ નીકળતા નેચર સેવિંગ ફાઉન્ડેશને રેસ્ક્યૂ કર્યા રિપોર્ટર જાવેદ મલેક, આમોદ નગર સહીત પંથકમા હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાને કારણે સરીસૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે.જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે.ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી બે સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. આમોદ રેવાસુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમા કોબ્રા સાપ જોવા મળ્યો હતો.જે સાપ દ્વારા બે થી વધુ મરઘાંના બચ્ચાંનો શિકાર પણ કરવામાં આવ્યો હતો. જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલે સાપ રેસ્ક્યું કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી.જે અંકિત પરમારે તુરંત જ સ્થળ ઉપર પહોચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબ્રા સાપને રેસ્ક્યું કર્યો હતો.જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. આમોદમા આવેલી આંબેડકરનગર સોસાયટીમાં રહેતાં પ્રવિણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમા દરઘોઈ (કોમન સેન્ડ બુઆ) નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘુસી ગયો હતો.જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકીત પરમારે કુશળતાથી રેસ્ક્યું કર્ય...

વોટ્સએપમાં ગડબડી થતાં જ યુવતીને શક ગઇ

Image
યુવકે યુવતીના બાથરૂમ અને બેડરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા વોટ્સએપમાં ગડબડી થતાં જ યુવતીને શક ગયો; આરોપી મકાન માલિકનો પુત્ર જ નીકળ્યો રિપોર્ટર મનીષ કંસારા, દેશમાં અવર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. દિલ્હીના શકરપુર વિસ્તારમાં મહિલા ભાડુઆતની જાસૂસી કરવા બદલ 30 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકે યુવતીના બાથરૂમ અને બેડરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ઉત્તર પ્રદેશની છે અને દિલ્હીમાં એકલી રહે છે, તેમજ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આરોપી કરણ મકાન માલિકનો પુત્ર છે, જે તે જ બિલ્ડિંગના બીજા માળે રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા છેલ્લા કેટલાક દિવસોથી તેના વોટ્સએપ પર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ રહી હતી. જ્યારે તેણે એક્સપર્ટ પાસે પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે વોટ્સએપ એકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિએ લોગઈન કર્યું હતું. પીડિતાએ તેનું વોટ્સએપ લોગ આઉટ કર્યું. જ્યારે તેને શંકા ગઈ, તેણે તેના ફ્લેટની તપાસ કરી અને તેના બાથરૂમના બલ્બ હોલ્ડરમાં એક જાસૂસી કેમેરા મળ્યો. પીડિતાએ તરત જ પીસીઆરને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. પોલીસ અધિકારી અપૂર્વ ગુપ્તાના જણાવ્યા અ...

ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો

Image
સુરતની કંપનીને ઇઝરાયેલે આપ્યો 10 હજાર ડ્રોન બનાવવાનો ઓર્ડર! રિપોર્ટર મનીષ કંસારા, સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. સુરતની એફપીવી કંપનીને પ્રતિવર્ષ 2 હજાર ડ્રોન સપ્લાય કરવાનો 5 વર્ષ સુધીનો ઓર્ડર મળ્યો છે. અગાઉ ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપનીના ડેલિગેટ્સની ટીમે એફપીવી કંપનીની મુલાકાત લીધી હતી. સુરતના યુવા એન્જિનિયર અર્થ ચૌયરી અને તેની ટીમ દ્વારા કામા કાજી ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે. આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીની ટીમ સુરત આવી હતી. ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા. ત્યારે આ કામા કાઝી ડ્રોનની શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાં તે ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આવો જાણીએ. ઇઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ-વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતી હોય છે પરંતુ હવે ઈઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ મ...

પ્રેમીપંખીડાના જીવનમાં મિત્રને લીધે ખટરાગ, પ્રેમીએ પ્રેમિકાને ફટકારી

Image
અંકલેશ્વરથી ભાગેલાં પ્રેમીપંખીડાના જીવનમાં મિત્રને લીધે ખટરાગ, પ્રેમીએ પ્રેમિકાને ફટકારી સુરતમાં રહેવા આવેલાં મિત્ર સાથે અનૈતિક સંબંધોની શંકાથી ઝઘડા થયાં રિપોર્ટર મનીષ કંસારા  અંકલેશ્વરના જીતાલી ગામેથી 6 મહિનાથી ભાગી ગયેલા પ્રેમીપંખીડાઓમાં લગ્નજીવનમાં તેમના જ મિત્રના કારણે ખટરાગ ઉભો થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ યુગલ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતું હતું પણ તેમના ઝઘડાઓથી કંટાળી મકાન માલિકે મકાન પણ ખાલી કરાવી દીધું હતું. પ્રેમીએ માર મારતાં પ્રેમિકાએ તેની સામે ફરિયાદ નોંધાવી છે. જીતાલી ગામ ખાતે રહેલી 20 વર્ષીય યુવતીને કુંદનસિંગ ગત20 એપ્રિલના રોજ લગ્નની લાલચે ભગાડી ગયો હતો. બંનેએ સુરત ડિંડોલી ખાતે મંદિરમાંલગ્ન કર્યા બાદ ભાડા નું મકાન રાખી રહેવા લાગ્યાં હતાં. લગ્ન ના એક મહિના બાદ કુંદન સિંગના ઘરે જોનપુર ખાતે રહેતો તેનો મિત્ર સજન આવ્યો હતો. તે પણ તેમના મકાનના ઉપરના રૂમમાં રહેવા લાગ્યો હતો. એક મહિના બાદ તે પરત વતનમાં જતો રહયો હતો. પણ કુંદનને તેની પ્રેમિકાના ચારિત્રય પર શંકા થવા લાગી હતી અને મિત્ર સાથે અનૈતિક સંબંધ હોવાની વાતે તેની સાથે ઝઘડા કરવા લાગ્યો હતો. ઝઘડા એટલી હદે ...

સરદાર સરોવર નર્મદા ડેમના 44 માં દિવસે હજી એક દરવાજો ખુલ્લો

Image
નર્મદા ડેમનો 44 માં દિવસે એક દરવાજો ખુલ્લો, કરજણના 30 દિવસ બાદ બંધ નર્મદા ડેમની સપાટી 137.92 મીટરે, સંપૂર્ણ ભરાવાથી 76 સેમી દૂર સરદાર સરોવર નર્મદા ડેમના 44 માં દિવસે હજી એક દરવાજો ખુલ્લો છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હવે 76 સેમી દૂર છે. પર્વતમાન ચોમાસુ ભરૂચ, નર્મદા અને ગુજરાત સાથે મધ્યપ્રદેશમાં પણ સારું જતા ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં હજી પણ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ હાલ 97.42 ટકા ભરાયેલો છે. ગત ઓગસ્ટમાં ડેમના દરવાજા પ્રથમ વખત ખોલાયા હતા. હાલ 44 માં દિવસે પણ ડેમનો એક દરવાજો ખુલ્લો છે. જે થકી નદીમાં 5 હજાર અને RBPH દ્વારા 41 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસ ચલાવી મુખ્ય કેનાલમાં 18969 ક્યુસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક સરેરાશ 70 હજાર ક્યુસેક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 137.92 મીટરે પોહચી છે. જ્યારે કરજણ ડેમના દરવાજા 30 દિવસ ખુલ્લા રહ્યા બાદ 20 સપ્ટેમ્બરથી બંધ કરાયા છે. કરજણની સપાટી 113.26 મીટર છે. જેની સામે ઇનફ્લો 3217 અને નદીમાં જાવક 373 ક્યુસેક છે. #gujaratniparchhai

સ્કોર્પીયો ગાડીમાં અપહરણ થયેલ ઈસમને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડતી અંક્લેશ્વર GIDC પોલીસ

Image
અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી સ્કોર્પીયો ગાડીમાં અપહરણ થયેલ ઈસમને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડતી અંક્લેશ્વર GIDC પોલીસ રિપોર્ટર મનિષ કંસારા  અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલ ભોગ બનનાર સાહેદ અનરજીત શોભીત શાહ નું તા.૨૧/૦૯/૨૦૨૪ નાં રોજ કલાક ૧૯/૧૫ વાગ્યા પહેલા મોજે મ.નં.K/57, શ્રીઅંબિકા ગ્રીન સોસાયટી, કોસમડી ગામ, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ ખાતેથી એક સફેદ કલરની સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના ઈરાદે ભોગ બનનારનું તેની I-10 ફોર વ્હીલર ગાડી સાથે અપહરણ કરેલ હોય જે બાબતે અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન, જિ.ભરૂચ ખાતે ગુ.ર.નં. પાર્ટ A ૧૧૧૯૯૦૨૧૨૪૦૯૫૭ /૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) કલમ-140(3), 309(4), 3(5), મુજબનો ગુનો તા.૨૧/૦૯/૨૦૨૪ કલાક ૨૧/૫૫ વાગ્યે રજીસ્ટર કરવામાં આવેલ. પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, વડોદરા વિભાગ, તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યાવસ્થાની જાળવણીને ટોચની અગ્રતા આપવા જણાવેલ હોય તેમજ કાયદો અને વ્યવસ્થાને અસર કરતા કોઇ પણ બનાવ બને તો તુરંતજ તેવા બનાવો અટકાવ...

ઈલાવ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરાયું

Image
ઈલાવ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું  આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સીએચસી અધિક્ષક એવા ગાયને કોલજિસ્ટ ડોક્ટર પૂર્વી સીએસસી ક આસિસ્ટન્ટ તેમજ chc ડેન્ટલ આસિસ્ટન્ટ દ્વારા આરોગ્ય મેળામાં આવનાર તમામ લાભાર્થીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું.  આયુષ્માન આરોગ્ય મેળામાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દુબે તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગીરીશભાઈ પટેલ પીએચસી ઈલાવ નાં મેડિકલ ઓફિસર ડોક્ટર જય પરમાર પીએસસી ઈલાવ નાં સુપરવાઇઝર ઉમેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આયુષ્માન આરોગ્ય મેળામાં ટોટલ 103 લાભાર્થીઓએ લાભ લીધેલ હતો જેમાં આંખનાં દર્દીઓ 33 દાંતનાં દર્દીઓ 21 સગર્ભા બહેનો 26 અને જનરલ ઓપીડી 22 હતા તેમજ મપહેવ દ્વારા આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. #gujaratniparchhai  રિપોર્ટર મનીષ કંસારા 

જિલ્લામાં પડેલા વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો

Image
ભરૂચમાં માર્ગ મકાન વિભાગના 47 માંથી 22 રસ્તા ચાલુ થયા પૂર અને જિલ્લામાં પડેલા વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા જેના કારણે રાજ્યધોરીમાર્ગના 2 અને પંચાયત વિભાગના 23 રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ કરવામાં આવ્યા છે. જોકે બુધવારે કુલ 47 રસ્તા બંધ હતા જેમાંથી પાણી ઓછું થતાં 22 રસ્તા ફરી ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે 25 રસ્તા હજુ પણ બંધ હાલતમાં છે. જેમ જેમ પાણી ઓછું થતું જશે તેમ રસ્તાઓ ફરી ચાલુ કરવામાં આવશે. ધોધમાર વરસાદના કારણે સાવચેતી માટે રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. તેમજ પાણી ઓછું થયા બાદ જે રસ્તાઓને નુકશાન થયું હશે. તેવા રસ્તાઓને રીપેરીંગની કામગીરી ચાલુકારવમાં આવશે. આમ રાજ્યધોરીમાર્ગના વાલિયા વાડી રોડ અને નહીયેર, બુવા, કેરવાડા, વાગરા રોડ આ બે રસ્તા હજુ બંધ છે. પાણી ઓછું થતાં કેટલાક વિસ્તારમાં નાળા પણ તૂટી ગયા છે. જેના કારણે લોકોએ પણ અવરજવર કરવામાં સમસ્યા ઊભી થઈ રહી છે. જેથી અસરગ્રસ્ત નાળા અને રસ્તા વહેલી તકે સમારકામ ચાલુ કરવા આવે તેવી સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે. ઉલેખનીય છે કે મોટાભાગના રસ્તાઓ કાર્યરત થયા છે...

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો

Image
 વડોદરા કરજણ... કરજણમાં એસીબીની સફળ ટ્રેપ.. કરજણમાં લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો... 10000 ની લાંચ લેતા અધિકારી ઝડપાયો.. નવું વીજ કનેક્શન આપી ટ્રાન્સફોર્મર જગ્યા ઉપર મુકાવવા તેમજ નવું વીજ મીટર આપવા માટે માંગી હતી લાંચ... #gujaratniparchhai  રિપોર્ટર કરજણ  ઈશ્વરસિંહ પઢીયાર

બ્યુટીપાર્લરમાં ગેરકાયદેસર અટકાયત કરી રાખેલ યુવતીને બચાવી ગણતરીના સમયમાંજ આરોપીને પોલીસે ઝડપી પડાયો

Image
વાગરા: પોલીસની બહાદુરી અને સમયસૂચકતાથી સુરતના વરાછા વારી વાગરામાં બનતી પોલીસે અટકાવી, ફિલ્મી સ્ટાઈલથી પોલીસે બ્યુટીપાર્લરનો દરવાજો તોડી યુવતીને બચાવી બ્યુટીપાર્લરમાં ગેરકાયદેસર અટકાયત કરી રાખેલ યુવતીને બચાવી ગણતરીના સમયમાંજ આરોપીને પોલીસે ઝડપી પડાયો ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટીપાર્લર ચલાવતી યુવતીએ સોશ્યલ મીડિયામાં બનેલા મિત્રને મેસજ અને વીડિયોકોલ નહિ કરવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટીપાર્લરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકી યુવતીને દુકાનમાં ગોંધી રાખી હતી.જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાગરા પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપતા જ વાગરા પોલીસ મથકના જાંબાઝ મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટર અનિતાબા જાડેજા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જોતા બ્યુટીપાર્લરમાં યુવકે ચપ્પુની નોક ઉપર યુવતીને બંધક બનાવી હતી. બનાવની ગંભીરતાને પારખી અધિકારીએ પોતાની સુજબૂજથી ફિલ્મી સ્ટાઇલથી દુકાનનો દરવાજો તોડી યુવકના ચુંગાલમાંથી ભોગબનનાર યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઈસમને ધડ દબોચી કાયદેસરની કાર્યવાહ...

ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજમાં શિક્ષક દિનની ઉજવણી

Image
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજમાં શિક્ષક દિનની ઉજવણી અત્રે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ના જન્મદિવસ ૫મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી અને કૉલેજના પ્રથમ વર્ષ બી.એ./કૉમ.ના વિદ્યાર્થીઓનો આવકાર સમારંભ આચાર્યશ્રી ડો.જી કે. નંદાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના આરંભે પ્રા. હરેશભાઈ પરીખે આવકાર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ કૉલેજના આચાર્ય ડૉ.જી.કે.નંદા સહિત અધ્યાપકોએ અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓને પુષ્પ અને પેનથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે આચાર્યશ્રી ડૉ.જી.કે.નંદાએ પ્રેરક વક્તવ્ય રજૂ કર્યું હતું. આજના શિક્ષક દિવસ નિમિત્તે અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવ રજૂ કર્યાં હતા. કૉલેજની પ્રથમ વર્ષ બી.એ.ની વિદ્યાર્થિની હર્વી ભટ્ટે રજૂ કર્યું હતું. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.જગદીશ કંથારીઆએ કર્યું હતું. ડૉ.નિશા વસાવાએ આભારવિધિ કરી હતી. #gujaratniparchhai રિપોર્ટર અંકલેશ્વર  પિયુષ મીસ્ત્રી 

ભરૂચ જિલ્લા એસપીએ 19 PIની આંતરિક બદલીઓનો ગંજીપો ચિપ્યો, સૌથી વધુ લીવ રિઝર્વના PIઓને પોલીસ મથકમાં બદલી કરાઈ

Image
 19 PIની આંતરિક બદલી:ભરૂચ જિલ્લા એસપીએ 19 PIની આંતરિક બદલીઓનો ગંજીપો ચિપ્યો, સૌથી વધુ લીવ રિઝર્વના PIઓને પોલીસ મથકમાં બદલી કરાઈ ભરૂચ જિલ્લા એસપીએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.જેમાં 8 લીવ રિઝર્વના પીઆઈઓને પોલીસ મથકનોમાં હાજર કર્યા છે. ભરૂચમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓનો ગંજીપો ચિપ્યો છે.જેમાં સૌથી વધુ લીવ રિઝર્વના આઠ પોલીસ ઇન્સપેક્ટરોની બદલી કરાઈ છે. જેમાં લીવ રિઝર્વના પીઆઈની વાત કરીએ તો આર.બી. કરમાટીયા આમોદ પોલીસ મથક, પી.જી. ચાવડા અંકલેશ્વર શહેર એ ડીવીઝન,આર.કે.કરમટા મહિલા પોલીસ સ્ટેશન,એમ.કે.પરમાર નબીપૂર પોલીસ સ્ટેશન, કે.એમ.ચૌધરી AHTU ભરૂચ, એ.એચ.છૈયા સેકન્ડ પીઆઈ એસ.ઓ.જી, એચ.જી. ગોહિલ સેકન્ડ પીઆઈ અંકલેશ્વર શહેર બી ડીવીઝન, કે.આર.વ્યાસ સેકન્ડ પીઆઈ એ ડીવીઝન ભરૂચ, એસ.એમ.દેસાઈ પાનોલી પોલીસ મથક, પી.આર. વાઘેલા વાગરા પોલીસ મથક, એચ.બી. ગોહિલ રાજપારડી પોલીસ મથક,બી.એન.સગર એલ. આઈ. ...

બાળકના મૃતદેહને કબરમાંથી કાઢી સુરત પીએમ માટે ખસેડાયો, સાપ કરડ્યો હોય સારવારને બદલે પરિવારજનોએ ભૂવા પાસે વિધિ કરાવી હતી

Image
અંધશ્રદ્ધામાં માસૂમે જીવ ગુમાવવાનો મામલો:બાળકના મૃતદેહને કબરમાંથી કાઢી સુરત પીએમ માટે ખસેડાયો, સાપ કરડ્યો હોય સારવારને બદલે પરિવારજનોએ ભૂવા પાસે વિધિ કરાવી હતી આમોદના ભીમપુરા ગામમાં 11 વર્ષીય બાળકને સાપ દંશ દેતા તેના પરિવારજનો અંધશ્રદ્ધામાં તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે ભુવા પાસે તાંત્રિક વિધિ કરવા લઈ જતા સમય વીતી જતાં આખરે માસુમે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં આમોદ પોલીસે તેના પિતા અને કાકા વિરુધ્ધ બેદરકારીનો ગુનો નોંધી બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી સુરત FSL માં પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકારે હાલમાં જ વિધાનસભામાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 ને મંજૂરી આપી છે. તેમ છતાંય લોકો હજીય અંધશ્રદ્ધાને છોડવાનું નામ નથી લઈ રહ્યા. આ અંધશ્રદ્ધામાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે ત્યારે આવો જ એક કિસ્સો ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામમાં સામે આવ્યો છે. જેમાં એક 11 વર્ષીય બાળકને સાપ કરડી જતાં તેણે પિતાને જાણ કરતાં પિતાએ તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગામના ભાથીજી મંદિરે વિધિ કર...