અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે બનતો નવો બ્રિજ ચોમાસામાં 'આફત' બની શકે: પ્રકૃતિ સુરક્ષા મંડળની કલેક્ટરને રજૂઆત
અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે બની રહેલ નવા બ્રિજ માટે બનાવાયેલ ડાઈવર્જન ચોમાશા માં આફત રૂપ બની શકે આ બાબતે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરાઇ છે. અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ પાસે સમય ની માંગ નુજબ નવા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહેલ છે અને તે માટે માર્ગ ને ડાઈવર્જન આપવામાં આવેલ છે જે માટે હંગામી બ્રિજ બનાવવામાં આવેલ છે. આ હંગામી હોવાના લીધે ઓછી ઊંચાઈ અને પાણી ના વહન માટે પાઈપો નાખવામાં આવેલ છે. બ્રિજ ની કામગીરી ચોમશાં ની ઋતુ ની શરૂઆત પેહલા ચાલુ કરવામાં આવેલ છે. આ કામગીરી પેહલા કરવી જરૂરી હતી. અને હવે આ કામગીરી ચોમાશા પેહલા પૂરું થવાની શક્યતા ઓછી દેખાય છે. કામગીરી દરમ્યાન ચોમાશા ની ઋતુ ની આગમન ની શક્યતાઓ રહેલી છે. અને જો ચોમાશા માં વધારે વરસાદ આવશે તો આ નાખેલ પાઈપો પાણી ના વહન માટે અપૂરતી બની રેહશે અને પાણી ડાઈવર્જન ના ઉપરથી પસાર થસે જેથી વાહન વ્યવહાર ખોળવાઈ શકે છે. અને ડાઈવર્જન પણ ધોવાઈ જવાની શક્યતાઓ છે. આ ધોવાણ ના કારણે ખાડી માં માટી પુરાણ થસે, પાણી ના દબાણ ના લીધે પિરામણ ગામ અને અંકલેશ્વર શહેર માં પણ વાહન વ્યવહાર ખોરવાઇ શકે છે. જાન માલ ને નુકશાન થઈ શકે છે...