Posts

Showing posts from December, 2025

સામાજિક વનીકરણ વાગરા રેન્જ દ્વારા સુતરેલ ખાતે કિશાન શિબિર, ખેડૂતોને ડિવિડન્ડ ચેક અપાયા.

Image
સુતરેલ ગામ ખાતે સામાજિક વનીકરણ  વાગરા રેન્જ દ્વારા કિશાન શિબિરનું આયોજન રિપોર્ટર,જીગ્નેશરાજપૂત  સામાજિક વનીકરણ,વાગરા રેન્જ દ્વારા સુતરેલ ગામ ખાતે સફળતાપૂર્વક કિશાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને સામાજિક વનીકરણ અને કૃષિ સંબંધિત અગત્યની માહિતી આપવામાં આવી હતી. શિબિરમાં ભરૂચ FPO (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન) માંથી ગીરીશભાઈ, ધવલભાઈ અને મમતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યોઓ  તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો હતો, જેના ભાગરૂપે સુતરેલના સરપંચ ના હસ્તે ખેડૂતોને ડિવિડન્ડનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. ભરૂચ FPOના પ્રતિનિધિઓ દ્વારા FPO દ્વારા કરવામાં આવી રહેલી નોંધનીય કામગીરી અને તેની પ્રગતિ વિશેની સંપૂર્ણ માહિતી ખેડૂતો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ શિબિરમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) દ્વારા ખેડૂતોને સામાજિક વનીકરણને લગતી અગત્યની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જે ખેડૂતોને પર્યાવરણની જાળવણી સાથે આવક વધારવામાં મદદરૂપ થશે. આ આયો...

નવી લાઈન નાખવાના વિવાદે હાંસોટમાં તણાવ; ખેડૂતોએ ન્યાય ન મળ્યાનો આક્ષેપ કર્યો.

Image
 હાંસોટના ખેડૂતોની જમીનમાં પોલીસ પ્રોટેક્શન હેઠળ GIDCની લાઈન નાખવાની કામગીરી શરૂ: સમાધાનના અભાવે ખેડૂતોમાં રોષ રિપોર્ટર,જીગ્નેશરાજપૂત  ઝઘડિયા ઔદ્યોગિક વસાહત (GIDC)ના પ્રદૂષિત પાણીને દરિયા સુધી પહોંચાડવા માટે હાંસોટ ગામના ખેડૂતોની જમીનમાં નવી સ્ટીલની લાઈન નાખવાની કામગીરી પોલીસ પ્રોટેક્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી નાયબ કલેકટર અને મામલતદારની હાજરીમાં અનેક મીટીંગો યોજવા છતાં ખેડૂતો અને GIDC વચ્ચે કોઈ સમાધાન ન થતાં કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે વિરોધની લાગણી પ્રવર્તી રહી છે. જૂની લાઈન અને નુકસાન: ૧૦ વર્ષ પહેલાં નાખવામાં આવેલી ફાઈબરની લાઈનો વારંવાર લીકેજ થતાં ખેડૂતોના પાક અને જમીનને નુકસાન થતું હતું.  સમસ્યાના નિવારણ માટે ઝઘડિયા GIDC દ્વારા ત્રણ સ્થળોએ કુલ ૧૫ કિ.મી.ની નવી સ્ટીલની લાઈન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વારંવારના લીકેજથી જમીનની ફળદ્રુપતા ખતમ થઈ છે અને ભવિષ્યમાં જમીન બિનખેતી (NA) પણ ન થઈ શકે તેવા ડરથી ખેડૂતો તેમની માલિકીની જમીનમાંથી નવી લાઈન નાખવાનો વિરોધ કરી રહ્યા છે. અધિકારી ઉમેશ ચૌહાણે જણાવ્યું કે GIDC ૧૦ વર્ષ પહેલાં કરાયેલા વપરાશી હક (ROU...

સાયખાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઇલર ફાટ્યું વાચો વધુ

Image
વાગરા નજીક સાયખાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઇલર ફાટ્યું, અનેક કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત! રિપોર્ટર, જીગ્નેશરાજપૂત  ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલી સાયખાની અલકેમી ફાઇનકેમ (Alkemie Finechem) કંપનીમાં આજે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.  કંપનીમાં આવેલા બોઇલરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.   બોઇલર ફાટવાના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓને કેમિકલ લાગવાથી ગંભીર ઇજાઓ પહોંચી છે.  ઇજાગ્રસ્તોની હાલત નાજુક જણાતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિકોમાં ઔદ્યોગિક સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે આ વિસ્તારમાં અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે. કંપનીઓમાં સુરક્ષાના નિયમોની ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ કામદારોના જીવ જોખમમાં મુકાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટના ફરી એકવાર ઔદ્યોગિક એકમોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે.  અકસ્માતની જાણ થતાં જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ...

ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ દ્વારા આયોજિત 'શૌર્યયાત્રા-ત્રિશૂળ દીક્ષા સમારોહ' સફળતાપૂર્વક યોજાયો.

Image
 ભરૂચમાં VHP-બજરંગદળનો 'શૌર્યયાત્રા-ત્રિશૂળ દીક્ષા સમારોહ' સંપન્ન રિપોર્ટર,પિયુષમિસ્ત્રી   ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ (બજરંગ દળ) દ્વારા આયોજિત 'શૌર્યયાત્રા-ત્રિશૂળ દીક્ષા સમારોહ' સફળતાપૂર્વક સંપન્ન થયો.  બપોરે ૦૩:૦૦ કલાકે અંબેમાતા વિદ્યાલય પાસે, બંબાખાના, વેજલપુર ખાતે આયોજિત આ ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાયા હતા. આ સમારોહનો મુખ્ય હેતુ હિન્દુ સમાજના યુવાનોને સુશિક્ષિત, સમરસ અને સંગઠિત કરી, તેમને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ, સંતો, મંદિરો, ગૌ-માતા, બહેન-દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાનો હતો.  આ કાર્યક્રમમાં યુવાનોને ધર્મની રક્ષા, તેમજ 'લવ જેહાદ' જેવા સામાજિક મુદ્દાઓ અંગે જાગૃત કરવા અને પ્રેરિત કરવામાં આવ્યા હતા.   મુખ્ય વક્તા અને આશીર્વચન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સેવા પ્રમુખ શ્રી હિતેશભાઈ જૈન (એડવોકેટ) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. સંત-ગણ આશીર્વચન માટે પ.પૂ. ૧૦૦૮ સ્વામી લોકેશાનંદજી મહારાજ, સંસ્થાપક: ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રય, કુકરવાડા, ભર...