Posts

Showing posts from July, 2024

હાઇવે પર પાણી ભરાતા રોકવા હોટલ -પ્લોટ ધારકોને નોટિસ અપાશે

Image
ભરૂચમાં હાઇવે પર પાણી ભરાતા રોકવા હોટલ -પ્લોટ ધારકોને નોટિસ અપાશે વરસાદી પાણીના નિકાલમાં નડતરરૂપ બાંધકામો દૂર કરવા તાકીદ ભરૂચમાં ગત સપ્તાહે પડેલાં મુશળધાર વરસાદમાં સૌ પ્રથમ વખત નેશનલ હાઇવે પર પાણીનો ભરાવો થયો હતો જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસની તપાસમાં હાઇવેની આસપાસ બની રહેલાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના કારણે હાઇવેનું લેવલ નીચું થઇ જતાં હાઇવે પર પાણીનો ભરાવો થયો હતો બીજી તરફ હોટલોના દબાણોના લીધે પાણીનો નિકાલ અટકી ગયો હોવાનું બહાર આવતાં હવે આગામી દીવસોમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તથા હોટલ સંચાલકોને જિલ્લા ટ્રાફિક પોલીસ નેશનલ હાઇવે ઓથોરીટી સાથે સંકલનમાં રહીને નોટીસ આપશે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવેની આસપાસ હવે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને તેના કારણે હવે હાઇવે પર પાણીના ભરાવાની શરૂઆત થઇ છે જેને લઇ હવે ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે.

જીતાલી નજીક મેંગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં દોડધામ મચી

Image
જીતાલી પાસે ખરાબ રસ્તાને લીધે‎કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું‎ ડ્રાઇવર કેબિનમાંથી બહાર આવી જતાં આબાદ બચાવ થયો  અંકલેશ્વર તાલુકાના જીતાલી નજીક મેંગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં દોડધામ મચી હતી. દઢાલ ગામના બ્રિજ પાસે ખરાબ રસ્તાના લીધે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તબકકે લાગી રહયું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજમેંગેઝીન સલ્ફેટ ભરીને એક ટેન્કર ઝઘડિયા જીઆઇડીસીમાં જવા માટે નીકળ્યું હતું.જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકેકાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર ચાલક સમય સુચકતા સાથે બહાર આવી ગયો હતો. સામાન્ય ઇજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેંગેઝીન સલ્ફેટ ઢોળાવા લાગ્યું હતું. જે જમીનમાંફેલાઈ જવાની સાથે આજુબાજુ વહેતું થયું હતું. કેમિકલના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા મોનિટરિંગટીમ સ્થળ પર દોડી આવી હતી અને કેમિકલનાનમૂના લીધા હતાં અને કીંગ એસિડ કંપનીને નોટિસ ફટકારી હતી. સ્થળ પર ઢોળાયેલા રાસ...

હાઈટેન્શન ટાવરની કામગીરી દરમિયાન એંગલ તૂટતા એક વીજકર્મીનું મોત, બે ઇજાગ્રસ્ત

Image
આમોદ કોલવણાની સીમમાં હાઈટેન્શન ટાવરની કામગીરી દરમિયાન એંગલ તૂટતા એક વીજકર્મીનું મોત, બે ઇજાગ્રસ્ત આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવર ચાર કર્મીઓ કામ કરી રહ્યા હતાં. આ સમય દરમિયાન ટાવરનો ઉપર ભાગ તૂટી પડતા તેમાં એક કર્મીનું દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે બે કર્મીઓને ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતાં. આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની ૨૨૦ કે.વી ગવાસદ-સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે.ટાવર ઉપરથી કંડકટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા ત્રણ ચાર દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યુ હતુ.આ સમયે 86 નંબર ના ટાવર ઉપર ચાર કર્મીઓ કામગીરી કરી રહ્યા હતા.ત્યાંજ એકાએક ઉપરના ભાગનો ટાવરની એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભેસંગ ગોહિલ ઉ.વ.54 રહે, જુના તવરાનાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી.આ સાથે વિષ્ણુ પટેલ રહે,નવા અને દીપકભાઈ વસાવા પણ ગંભીર ઇજાઓ થતા ટાવર ઉપરજ તેમણે બુમાબુમ કરી નાંખી હતી. જેથી કોલવણા ગામના યુવાનોએ દોડી આવી ત્રણેય ઈજાગ્રસ્તોને મુખ્ય માર્ગથી અડધો કી.મી.સુધી કાદવ કિચડમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં હતાં. જ્...

જંબુસરમાં 11 વર્ષીય બાળકી પર પાડોશીએ ધારિયાથી હુમલો કરતા ઘાયલ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી

Image
સાયકલ ચલાવવા બાબતે બાળકી પર હુમલો:જંબુસરમાં 11 વર્ષીય બાળકી પર પાડોશીએ ધારિયાથી હુમલો કરતા ઘાયલ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી જંબુસર તાલુકાના કાવી ગામે પાડોશી સાયકલ મૂકવાં બાબતે બોલાચાલી કરી એક 11 વર્ષીય બાળકી ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો.જેને પગ, પેટ અને હાથના ભાગે ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.આ મમાલે કાવી પોલીસે ગુનો નોંધીને પાડોશી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની 11 વર્ષીય બાળકી જાનુ તેમના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેણે સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનું કહી તેના ઘર પાસે સાયકલ મુકવાની ના પાડી તકરાર કરી ઉશ્કેરાઈ જઈને જાનુ પર ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી.બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા. આ હુમલામાં બાળકીને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસન...

મનસુખ વસાવા જીતી જતા આજે ખેડૂતો તેઓને તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય આપવાની લેખીતમાં રજૂઆતો કરી હતી

Image
ખેડૂતોએ મનસુખ વસાવાએ આપેલું વચન યાદ અપાવ્યું:ભરૂચના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજના ખેડૂતોએ સાંસદને આવેદનપત્ર આપી રજૂઆતો કરી ભરૂચ જિલ્લાના સાંસદ મનુસખ વસાવાએ ચૂંટણી પહેલા જમીનના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી અને તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન સંપાદનમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવી ખેડૂતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું.આ ચૂંટણીમાં મનસુખ વસાવા જીતી જતા આજે ખેડૂતો તેઓને તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય આપવાની લેખીતમાં રજૂઆતો કરી હતી. ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે સાંસદ માટે ખરાખરીનો જંગ જામ્યો હતો.ત્યારે અનેક લોકો દ્વારા પોતાના માંગણી બાબતે વિરોધ પણ નોધાવ્યો હતો.જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે,બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજીત 60 થી વધુ ગામોની જમીન સંપાદનમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા.આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત સાતમી વખતે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં.જેથી મનસુખ વસાવા એ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતીના ખેડૂતો અને આગે...

ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં 15 સોસાયટીના રહીશોને રોડ,રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ નહિ મળતા મહિલાઓનું પંચાયત પર હલ્લાબોલ

Image
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં 15 સોસાયટીના રહીશોને રોડ,રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ નહિ મળતા મહિલાઓનું પંચાયત પર હલ્લાબોલ ભરૂચ શહેરના ઝાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા સોસાયટીની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત ઝાડેશ્વર ગ્રામ પંચાયત માં હલ્લાબોલ કર્યું હતું.આ બાબતે પંચાયતના વહીવટીદારે તેમના માર્ગની સમારકામની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.જ્યારે માર્ગ પણ મંજૂર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી નાની મોટી સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. ઝાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી 15 સોસાયટીઓ આવેલી છે.પરંતુ વર્ષોથી આ વિસ્તારનો માર્ગ બિસ્માર બન્યો છે જેના કારણે આ વિસ્તારમાં સોસાયટીના રહીશો હાલ નરકાગાળની સ્થિતિમાં જીવી રહ્યા છે.ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે મોટો વેરો સોસાયટીના રહીશો ભરતા હોવા છતાંય પંચાયત દ્વારા માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જ્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્...

ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં મારામારીથી દોડધામ

Image
બનેવી-ભાણિયા અંગે પૂછવા મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં મારામારીથી દોડધામ ભરૂચના બરકતવાડ ઇકરા સ્કૂલ પાસે રહેતાં રૂકનુદ્દીન નજીમુદ્દીન શેખ તેમના ઘરે હતાં તે વેળાં તેની બહેન નોમીરૂનનિશા રડતી હોય તેમણે તેને શા માટે રડે છે તેમ પુછતાં તેણે જણાવ્યું હતું કે, તારા બનેવી એઝાઝ ગઇકાલથી તારા ભાણીયાને લઇને ક્યાંક જતાં રહ્યાં છે.જેથી તે તેના મોટા ભાઇઓ સાથે વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતાં તેના બનેવીના મામાને ત્યાં વાતચીત કરવા ગયાં હતાં. તેમણે બનેવી અંગે પુછપરછ કરતાં તેના બનેવીના મામા ફજલ ફિટરે તેમને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. જોકે, તેના મામા ઇલ્યાસ સહિતાઓએ વચ્ચે પડી ઝઘડો છોાડવતાં તે ઘરે પરત આવી ગયો હતો. અરસામાં તેના બનેવીની બહેન શબીયા પાતરાવાલા આવી પહોંચી અમને કેમ અપશબ્દો ઉચ્ચારે છે કહેતા તેનું ઉપરાણું લઇ શબીહાના મામા અલ્તાફ ફિટરે તેને લોખંડની પાઇપથીઇજાઓ પહોંચાડી હતી. બનાવમાં રાબીયાબીનીએ ક્રોસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પારસીવાડ પાસેની રંગવાલા દવાખાના પાસે રહેતાં હોઇ ત્યાં મુસ્લિમ ધાર્મિક વિધીમાં હાજર હતી. તે વેળાં તેમનાઘરે તેમની વહું નોમીરૂનનિશાના ...

આજથી પ્રારંભ થતાં પાંચ દિવસ મોળુ જમી કુંવારી બહેનોએ વ્રત ની શરૂઆત કરી

Image
જયાપાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થતાં પાંચ દિવસ મોળુ જમી કુંવારી બહેનોએ વ્રત ની શરૂઆત કરી તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથીજ ભગવાન શિવની આરાધના પૂજન અર્ચન માટે કુવારીકાઓની સવારથી જ ભીડ જોવા મળી હતી       અષાઢ સુદ-૧૩ને શુક્રવાર આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું.આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ સુધી મોળું જમીને કરે છે. આખો દિવસ મોળું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર-પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે.આમ પાંચ દિવસ સુધી કુંવારી બહેનોએ મોળું જમીને આ વ્રત અને શંકર-પાર્વતીની પૂજા કરવાની હોય છે.       હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે. આમાંથી એક છે જયા પાર્વતી વ્રત. જેને ગૌરીવ્રત કે ગોરો પણ કહેવામાં આવે છે. ગૌરીવ્રત ૧૪ વર્ષથી નાની કન્યાઓ કરે છે. જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે. આ વ્ર...

નંદેલાવ ગામના તલાટી નીલેશ પટેલ દોઢ ડાહ્યા હોઈ તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે??

Image
ભરૂચ તાલુકાના નંદેલાવ ગામ પંચાયતના દોઢ ડાહ્યા તલાટી નીલેશ પટેલે કર્યું બુદ્ધિનું પ્રદર્શન...  અરજદારે ટપાલ ખર્ચ જાતે ભોગવવાનો... લો આતો તલાટીના ઘરનો કેવો કાયદો...? ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયતના અતિ બુધ્ધિશાળી તલાટી કમ મંત્રી નીલેશ પટેલે આરટીઆઈ ના જવાબ માં એક અરજદાર પાસે માહિતીની નકલો મોકલવા પેટે ટપાલ ખર્ચ વસૂલ કરવા માટે લખેલ હોય જેની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે..જે અંગે પ્રથમ અપીલ પણ દાખલ કરવામાં આવેલ છે આમ પણ આ તલાટી ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલા રહે છે..ભૂતકાળના સમય દરમ્યાન આ મહાશયને ગામના નાગરિક પર ગુસ્સે થઈ રહ્યા હોય તેનો વિડિયો વાઇરલ થયો હતો .અને હવે આરટીઆઈ ના કાયદાનું ભાન ન હોઈ તે મુજબનો જવાબ નાગરિકને મોકલતા બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું છે. મળવા પામતી માહિતી અનુસાર ભરૂચ તાલુકા ના નંદેલાવ ગામના તલાટી નીલેશ પટેલ દોઢ ડાહ્યા હોઈ તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે..અને જેનું ઉદાહરણ તેમણે આરટીઆઈના આપેલ જવાબમાં બુદ્ધિનું પ્રદર્શન છે..તાજેતરમાં એક આરટીઆઈ ના જવાબમાં નાગરિકને આપેલ જવાબ માં માહિતીની નકલોની ફીની સાથે સાથે ટપાલ ખર્ચ પણ વસૂલ કરવા મ...

ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર ૯ રહીશોનું નગરપાલીકા પર હલ્લાબોલ

Image
ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર ૯ રહીશોનું હલ્લાબોલ, વિપક્ષી સભ્યોએ રહીશોની સાથે રહી પાલિકા પ્રમુખ, તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી.ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. મુખ્ય માર્ગ પરના જર્જરિત નાળા અંગે રજૂઆત.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર બી.ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળુ જર્જરિત હોવા સાથે નાનું પણ છે .તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે. જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહિ કરવાંમાં આવતા અંતે આ મુદ્દે રહીશો એ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી કર્યો હતો. ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી. #Gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ  પિયુષ મીસ્ત્રી 

ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ

Image
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં દાંડીયા બજાર ચોકી પર હેડ કોન્સ્ટેબલ અશોક કાનાભાઈ બડિયાવદરા ફરજ બજાવતા હતા.તેઓ પત્ની અને બે બાળકીઓ સાથે સોનેરી મહેલ પોલીસ લાઈનમાં આવેલા તેમના ક્વાર્ટરમાં રહેતા હતાં.આજ રોજ તેઓ પોતાના ક્વાર્ટરમાં આરામ કરતા હોય અને તેમની પત્ની બે બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતાં.આ સમયે અશોકભાઈએ રસોડામાં પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ તેમના પત્ની પોતાનું કામ પતાવી પરત ઘરે આવતા રૂમનો દરવાજો ખુલ્લો જોઈ રસોડામાં જોતા જ બુમાં બુમ કરતા જ આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા.આ ઘટનાની જાણ એ ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા જ પીઆઈ વી.યુ.ગડરિયા અને પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતક...

રહાડપોર ગામ પંચાયત ના તલાટી દ્વારા રોડની આજુબાજુ મોટા મોટા બોડ તો માર્યા પણ સૂચના પાલન કરવાનો ટાઈમ નથી કે શું???

Image
જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ નિંદ્રાધીન...પ્રજાનું સ્વાસ્થ્ય બગડે તો જવાબદાર કોણ...? મિ. ડો. દુલેરા  ભરૂચ તાલુકાના રહાડોપર ગામ પંચાયતની હદમાં ગંદકીનું સામ્રાજય... તલાટી નિલેષ પટેલની વીકલી નોકરીથી પ્રજા હેરાન પરેશાન... ભરૂચ તાલુકાના રહાડપોર ગામ પંચાયતની હદમાં રોડની આજુબાજુ કચરાના ઢગલા જોવા મળે છે. ખુબજ ગંદકી છે, દુર્ગંધ લાગે છે, વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહયા છે. જે જગ્યાએ જાહેર નોટીસનું બોર્ડ લગાવવામાં આવેલ છે તે જગ્યા ઉપર જ ખુબ મોટા પ્રમાણમાં કચરો જોવા મળે છે. સરપંચના હુકમથી લગાડવામાં આવેલ જાહેર નોટીસનું બોર્ડ પણ કચરા સમાન થઈ ગયું છે. જાહેર જગ્યા તથા રસ્તાની આજુબાજુ કચરો નાખી ગંદકી ફેલાવવા નહી અને જો તેમ થવામાં કસુરવાર પાસે પ૦૦ રૂપિયાના દંડની રકમ ગ્રામ પંચાયત દ્ધારા વસુલ કરવામાં આવશે તેવો હુકમ દર્શાવતું બોર્ડ લખેલ છે અને જેની સખ્ત નોંધ લેવી તેવી પણ નોંધ છે. પરંતુ કચરો નાખનાર અને ગંદકી ફેલાવનાર સરપંચના હુકમની ઐસીતૈસી કરી રહયા છે. પ૦૦ રૂપિયાનો દંડ કોણ વસુલ કરશે...? આ પંચાયત અઠવાડીયામાં માત્ર મંગળવારે એકજ વાર ખુલે છે તો પછી ગંદકી કેવી રીતે સાફ થશે...? આવી ગંદકી અને કચરાની સાફ ...