Posts

Showing posts from October, 2025

ભાજપના નેતાઓ શિરીષ બંગાળી, પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરી હતી;દાઉદે આપી હતી 50 લાખની સોપારી

Image
ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાના જામીન મંજુર:વર્ષ 2015માં ભાજપના નેતાઓ શિરીષ બંગાળી, પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરી હતી;દાઉદે આપી હતી 50 લાખની સોપારી ભરૂચ શહેરને હચમચાવી નાખનાર વર્ષ 2015ના ડબલ મર્ડર કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યાના કેસમાં આરોપી મહોમદ યુનુસ ઉર્ફે માંજરા મહોમદ યુસુફ શેખને સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2015ના 2 નવેમ્બરના રોજ ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલી સુર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળીબારી કરી શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ ના સાગરિત જાવેદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યા માટે 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી.આ સોપારીના આધારે ભરૂચના ચાર હિંદુ નેતાઓના નામ નક્કી કરાયા હતાં.ત્યારબાદ અંધારી આલમના મોડ્યુલે સુરત અને ભરૂચમાં સક્રિય બની બંને ભાજપના આગેવાનોની હત્યા કરી હતી. આ સમગ્ર કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. એનઆઈએએ તપાસ દરમિયાન 1...

દહેજ ખાતે કોઈ પણ ડિઝાસ્ટરને પહોંચી વળવા મેગા ટ્રેનિંગ કેમ્પનું આયોજન

Image
 હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન તેમજ દહેજ ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશનના સયુંકત ઉપક્રમે દહેજ ખાતે કોઈ પણ ડિઝાસ્ટરને પહોંચી વળવા મેગા ટ્રેનિંગ કેમ્પનું આયોજન દહેજ ભારતનું સૌથી વિશાળ તેમજ કાર્યરત PCPIR એરિયા છે, જયાં આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ જેવા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. અહીંયા આવેલી ફેકટરીઓમાં ટ્રેનિંગના અભાવે તેમજ અજ્ઞાનતા વંશ અનેક પ્રકારના આગ તેમજ અકસ્માતના બનાવો બનતા હોય છે, આવા સમયે કુશળ કામદારોને અકસ્માત, આગ, સુરક્ષા અને સલામતી તેમજ કોઈપણ જાતના ડીઝાસ્ટરને પહોંચી વળવા માટે તાલીમ આપવી ખુબ જ જરૂરી છે. આગ તેમજ અકસ્માતની દુધર્તનાને પહોંચી વળવા ડાયરેકટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડીપાર્ટમેન્ટની ટ્રેનિંગ મુહીમ જે અંતર્ગત આજરોજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સંકુલ ખાતે, ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ના માર્ગ દર્શન હેઠળ, હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન તેમજ દહેજ ઇન્વેસ્ટ્રિઝ એસોસિએશનના સયુંકત ઉપક્રમે મેગા ટ્રેનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જયાં આશરે ૧૫૦ જેટલા કામદારોઓએ ઉત્સાઠભેર તાલીમમાં ભાગ લીધો હતો, ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંત તજજ...

ભરૂચ માં આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત સંકલ્પ હર ઘર સ્વદેશી અપનાવવા કાર્યશાળા યોજાઈ

Image
 આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત સંકલ્પ હર ઘર સ્વદેશી અપનાવવા ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળા યોજાઈ રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  વડોદરા ના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, અભિયાનના પ્રદેશ સહ ઈનચાર્જ જગદીશભાઈ પારેખ, ભરૂચ જિલ્લાના પ્રભારી અશોકભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા મંત્રી પ્રતીક્ષાબેન પરમાર સહિત જિલ્લાના તમામ મંત્રી, પાલિકા પ્રમુખશ્રી, હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ સેલના હોદ્દેદારોએ કાર્યશાળામાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા પ્રભારી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો, નાના ઉત્પાદકો, તેમજ મહિલાઓ ને પગભર કરવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવી રહી છે. જેથી આપણા ભારત દેશનું નામ વિશ્વના પલક પર પ્રથમ ક્રમાંકે પહોંચી શકે. જ્યારે અભિયાનના સહ ઈનચાર્જ જગદીશભાઈ પારેખે જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને રિચાર્જ કરવા માટે તમામ કાર્યક્રમો કરવામાં ...

દહેજ માં 12 હજાર કરોડ ના ખર્ચે કોપર, સોનુ, ચાંદી અને સલ્ફયુરીક એસિડ ની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃતિકરણ કરાશે

Image
હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દહેજ માં 12 હજાર કરોડ ના ખર્ચે કોપર, સોનુ, ચાંદી અને સલ્ફયુરીક એસિડ ની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃતિકરણ કરશે. વિસ્તૃતિકરણ બાદ કોપર 9 લાખ ટન વાર્ષિક, સોનું 53 ટન, ચાંદી 450 ટન, સલ્ફયુરીક એસિડ 26 લાખ ટન થશે ભરૂચ જીલ્લાના લખીગામ ખાતે આવેલ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના બિરલા કોપર યુનિટ ના રૂ.12 હજાર કરોડ ના ખર્ચે થનાર વિસ્તરણ પ્રોજેક્ટ ની જાહેર સુનાવણી તા.14 મી રોજ યોજાઈ હતી. જેમાં કંપની દ્વારા કોપર સ્મેલ્ટર ના વિસ્તરણ અંતર્ગત કોપર એનોડ નું ઉત્પાદન વધારી ને 8.93 લાખ ટન વાર્ષિક , સેલ્ફયુરીક એસિડ 26 લાખ ટન , સોનુ 53 ટન વાર્ષિક અને ચાંદી 450 ટન જેટલું કરશે અને આ સાથે વૈશ્વિક સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરશે. બિરલા કોપરના વિસ્તૃતિકરણ વર્તમાન 340 હેક્ટર જમીન માં જ કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા માટે રૂ.2500 કરોડ ના ખર્ચ કરશે એવી માહિતી પર્યાવરણ સુનાવણી માં કંપની દ્વારા આપવામાં આવી હતી. આ વિસ્તરણ પ્રોજેક્ટ થકી નવી 2000 રોજગારી ની તકો ઉપલબ્ધ થશે અને આનુષંગિક વ્યવસાયો માટે પણ તકો ઉપલબ્ધ થશે. કંપનીમાં કુલ જગ્યામાં 35 ટકા જેટલો ગ્રીન બેલ્ટ વિકસાવ્યો છે અને નવા 85 હજાર વૃક...

૭૬મો વનમહોત્સવ આંકોટ ગામની ITI કોલેજ ખાતે ભવ્યતાથી ઉજવાયો

Image
 વાગરા તાલુકાનો ૭૬મો વનમહોત્સવ આંકોટ ગામની ITI કોલેજ ખાતે ભવ્યતાથી ઉજવાયો રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  તારીખ ૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, સામાજિક વનીકરણ રેન્જ, વાગરા દ્વારા આંકોટ ગામની ITI કોલેજ ખાતે વાગરા તાલુકાનો ૭૬મો વનમહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહાનુભાવો, સરકારી અધિકારીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિ આ વનમહોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને મામલતદાર વાગરા સુશ્રી એમ.જી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગ તરફથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વી. વી. ચારણ (સામાજિક વનીકરણ રેન્જ, વાગરા) અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ઉપરાંત, (વિલાયત GIDC એસોસિએશનના સેક્રેટરી અને કલર ટેક્સ કંપનીના યુનિટ હેડ), ડૉ. મહેશભાઈ વશી (વિલાયત જ્યુબિલન્ટના વાઇસ પ્રેસિડેન્ટ), અલકેશભાઈ રાણા અને જ્યુબિલન્ટ કંપનીના સેફ્ટી હેડ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. જનપ્રતિનિધિઓની હાજરી સ્થાનિક જનપ્રતિનિધિઓમાં આંકોટ ગામના સરપંચ અને સભ્યશ્રીઓ, રહાડ ગામના સરપંચ કિરીટભાઈ વસાવા, અને ભેરસમ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી કર્...

આલુંજ પ્રાથમિક શાળામાં હેલ્થ અને હાયજીન કેમ્પનું આયોજન કરાયું

Image
 પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આલુંજ પ્રાથમિક શાળામાં હેલ્થ અને હાયજીન કેમ્પનું આયોજન રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  આલુંજ: પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન (PIA) દ્વારા તા. ૧૧/૦૯/૨૦૨૫ ના રોજ આલુંજ પ્રાથમિક શાળાના બાળકોમાં હેલ્થ અને હાયજીન (આરોગ્ય અને સ્વચ્છતા) વિશે જાગૃતતા લાવવા માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના આશરે ૧૫૦ વિધાર્થીઓ ને આવરી લેવાયા હતા. બાળકોને સ્વચ્છતા જાળવવા માટે ઉપયોગી એવી હાયજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે, ડોક્ટરો દ્વારા બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરીને જરૂરી દવાઓનું નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ શ્રી બી.એસ. પટેલે જણાવ્યું હતું કે, PIA દ્વારા પાનોલીની આજુબાજુના ગામોમાં મેડીકલ કેમ્પનું આયોજન સતત પાંચમા વર્ષે કરવામાં આવી રહ્યું છે. તેમણે બાળકોને વિશેષ રીતે પોતાની શારીરિક જાગૃતિ માટે પ્રયત્નશીલ રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું. આલુંજ ગામના સરપંચ અને કમિટી મેમ્બરોએ પ્રાસંગિક પ્રવચન કરતા પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના આ સરાહનીય કાર્યની પ્રશંસા કર...

વેજલપુરમાં કિન્નર સમાજના અગ્રણીના અધ્યક્ષસ્થાને RSSનો વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો

Image
ભરૂચના વેજલપુરમાં કિન્નર સમાજના અગ્રણીના અધ્યક્ષસ્થાને RSSનો વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ  રિપોર્ટર,પિયુષમિસ્ત્રી   રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર વેજલપુરમાં વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા ભવ્ય વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનું અધ્યક્ષસ્થાન વેજલપુર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણી શ્રી દીપાકુંવર માસીએ શોભાવ્યું હતું, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પથ સંચલન અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ RSSની સ્થાપનાના આ પવિત્ર દિવસ નિમિત્તે વેજલપુરની ૧૯૮૧થી કાર્યરત પ્રભાત શાખામાં સંઘની પ્રથા મુજબ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.  * પથ સંચલન: કિન્નર અગ્રણી દીપાકુંવર માસીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને વિસ્તારના વિવિધ ભાગોમાં પથ સંચલન કર્યું હતું.  * શસ્ત્રપૂજન: વિજયાદશમીના પર્વની પરંપરા જાળવતા આ ઉત્સવમાં સ્વયંસેવકો દ્વારા વિધિવત રીતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.  * પ્રાત્યક્ષિ...

નાગરિકો સુરક્ષાની લાગણી જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે પગલાં લેવામાં આવશે ખરા??

Image
 ભરૂચ જિલ્લાના નાગરિકોમાં સુરક્ષાની લાગણી જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drug Control Administration - FDCA) તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે પગલાં લેવા જરૂરી રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  અહીં આપેલા મુદ્દાઓને આધારે ભરૂચ જિલ્લામાં મીઠાઈની શુદ્ધતા અંગેના સમાચારનું વધુ વિશ્લેષણ અને અહેવાલ પ્રસ્તુત છે: દિવાળી ટાણે ભરૂચમાં ઝેરી મીઠાઈનો ખતરો? સુરતની ડુપ્લિકેટ ઘીની ઘટનાથી જિલ્લાનું તંત્ર હરકતમાં આવે તે જરૂરી ભરૂચ: દિવાળીના મહાપર્વની ખરીદી વચ્ચે ભરૂચ જિલ્લાના નાગરિકોના આરોગ્ય સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત SOG દ્વારા અમરોલી વિસ્તારમાં મોટા જથ્થામાં ડુપ્લિકેટ ઘી બનાવવાનું ષડયંત્ર ઝડપી પાડવામાં આવતા, ભરૂચની બજારોમાં વેચાતી "શુદ્ધ ઘી"ની મીઠાઈઓની ગુણવત્તા શંકાના દાયરામાં આવી ગઈ છે. તહેવારના સમયમાં ભરૂચ જિલ્લામાં ટનબંધ મીઠાઈઓનું વેચાણ થાય છે, ત્યારે આ બનાવટી ઘીનો ઉપયોગ અહીં ન થયો હોય તેની કોઈ ખાતરી નથી. ડુપ્લિકેટ ઘી અને માવાની સિન્ડિકેટ: જનઆરોગ્ય સાથે લોલમલોલ! સુરતની ઘટનાએ માત્ર ઘી નહીં, પણ મીઠાઈના મુખ્ય ઘટક દૂધના માવાની ગુણવત્તા સામે પણ આંગળી ચીંધી છે. મોટા જથ્થ...