Posts

Showing posts from August, 2025

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ

Image
 દેવ ઘોઘારાવ મહારાજની એક દંત કથા બંગાળના હેરવા ખાતે જેવર રાજા રાજય કરતા હતાં. તેની સ્વરૂપવાન પત્નીનું નામ બાછલ. રૂપ–રૂપનાં અંબાર સમી બાછલનાં ખોળાને ખુંદનાર કોઇ સંતાન ન હતું. વંશ વેલો ચાલુ રહે તેવા સંતાન સુખથી આ દંપતિ વંચિત હતું. રાજા દંપતિ સતત ચિંતિત હતા અને તેઓએ સંતાન પ્રાપ્તી માટે અનેક દાન ધર્મો કર્યા હતા.  યજ્ઞો કર્યા, સાધુ સંતોને બોલાવી તેઓના આર્શિવાદ મેળવ્યા પણ આશાનું કોઇ કિરણ નજેર પડતું ન હતું. બીજી તરફ બાછલની સગી બહેન જે તેની હુબહુ શકલ ધરાવતી હતી તેને ખોળે પણ સંતાન ન હતું. બંને બહેનો સંતાન સુખની પ્રાપ્તિ માટે અનેક સાધુ સંતોની પાસે જઇ આવી હતી. સંતાન સુખની પ્રાપ્તી માટે રાજા જેવરસિંહે ૯૯ યજ્ઞ કર્યા હતા. જેને લઈ ઈન્દ્ર લોકની ગાદી પણ હચમચી જવા પામી હતી અને ત્યારે ઈન્દ્રદેવે રાજા જેવરસિંહ યજ્ઞ કેમ કરે છે તે જાણવા માટે નારદમુની અને શનિદેવને ધરતી લોક ઉપર મોકલ્યા હતા જે બાદ તેઓ રાજા જેવરસિંહ પાસે આવે છે અને યજ્ઞ કરવાનું કારણ પુછે છે ત્યારે રાજા તેઓને યજ્ઞ સંતાન પ્રાપ્તીની ઈચ્છા માટે કરતા હોય તે વાત જણાવે છે ત્યારે નારદ મુની તેઓને કહે છે કે, આ મૃત્યુલોકમાં એક એવા સિધ્ધ યોગી છે ક...

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે આજે "નશામુક્તિ અભિયાન" કાર્યક્રમનું આયોજન કરાયું

Image
"નશામુક્તિ અભિયાન" કાર્યક્રમ મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે આજે "નશામુક્તિ અભિયાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.ટી. દેસાઈ મેડમ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. પી.એસ.આઈ. મેડમે પોતાના વક્તવ્યમાં નશાના ગંભીર પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે નશો માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તેના પરિવાર અને સમાજને પણ કેવી રીતે નુકસાન પહોંચાડે છે. તેમણે નશામુક્ત જીવન જીવવાના ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તાલીમાર્થીઓને નશામુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ નશાના દૂષણથી બચાવવા માટે સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમના અંતે, આઈ.ટી.આઈ.ના ઇન્ચાર્જ શ્રી રિયાઝ કડવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નશા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને તેમને એક સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં સફળ રહ્યો. #gujaratniparchha...

ભાજપના નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ

Image
ભરૂચમાં 2015માં થયેલી ભાજપના નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કેસના આરોપી યુનુસ શેખ ઉર્ફે યુનુસ માંજરાની મિલકતને અમદાવાદની NIA વિશેષ કોર્ટના આદેશથી ટાંચમાં લઈ સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક કક્ષાએ ભારે ચર્ચા જાગી છે. હત્યાનો ઘટનાક્રમ અને આરોપીઓ 2 નવેમ્બર, 2015ના રોજ ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલી 'સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસ'માં બની હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત જાવેદ ચીકનાના ઈશારે થઈ હતી. તેમણે હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ કેસમાં NIA દ્વારા અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે હાલ જેલમાં છે. આ ઉપરાંત, એક આરોપી હજી પણ વોન્ટેડ છે, જ્યારે એકનું મૃત્યુ થયું છે. NIAની કાર્યવાહી NIAની ટીમે અમદાવાદની વિશેષ કોર્ટના આદેશ બાદ ભરૂચના સોનેરી મહેલ વ...