Posts

Showing posts from April, 2024

વાગરા તાલુકાના ગંધાર ગામે મામલતદારશ્રી વાગરાના અધ્યક્ષસ્થાને સોલ્ટ વર્કરો પાસે નૈતિક મતદાન કરે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા

Image
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેગવંતી બનતી ‘મતદાન જાગૃતિ ઝુંબેશ’ વાગરા તાલુકાના ગંધાર ગામે મામલતદારશ્રી વાગરાના અધ્યક્ષસ્થાને સોલ્ટ વર્કરો પાસે નૈતિક મતદાન કરે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા  સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે મતદાન અંગે જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે.  જેમાં સ્વીપ (સિસ્ટમેટીક વોટર'સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન) પ્રોગ્રામ અંતર્ગત 'મતદાન જરૂર કરો અને કરાવો' ની નેમ સાથે અંતરિયાળ વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી મતદાન જાગૃતિ ઝુંબેશ વેગવંતી બની રહી છે. ત્યારે વાગરા તાલુકાના ગંધાર ગામે મામલતદારશ્રી વાગરાના અધ્યક્ષ સ્થાને સોલ્ટ વર્કરો પાસે લોકસભા ચૂંટણીમાં નૈતિક મતદાન કરે અને પોતાના પરિવારને પણ સહભાગી થવા પ્રેરે તે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. #gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ  પિયુષ મીસ્ત્રી 

15 ગામ માછી પટેલ સમાજના 20 નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

Image
ભરૂચમાં 15 ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ યોજાયેલા સમૂહ લગ્નમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા ભરૂચ જિલ્લા 15 ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ બોરભાઠા બેટ (મકતમપુર) સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત 21માં સમૂહ-લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના 20 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજ દ્વારા અનેક સેવાકીય કામગીરી કરાય છે. ભરૂચ જિલ્લામાં આવેલા અલગ અલગ 15 ગામોના માછી-પટેલ સમાજ ગામજનોના સહકારથી અત્યાર સુધીમાં અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે. જેમાં 15 ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 20 સમૂહ લગ્નોનું સફળતા પૂર્વક આયોજન કરાયુ છે.ત્યારે આજરોજ 21માં સમૂહ લગ્નનું આયોજન કરવા માટેનું યજમાન પદ બોરભાઠા બેટ (મકતમપુર) ખાતે કરાયુ હતું.જેમાં 15 ગામ માછી પટેલ સમાજના 20 નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નનોત્સવમાં સમાજની દીકરીઓને સોળ શણગારથી અલંકિત કરીને સમર્પણ,સમજણ અને સેવારૂપી સંસ્કારનું પ્રદાન કરી શ્વસુર ગૃહે વિદાય આપવામાં આવનાર છે.જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. #guja...

અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહિ મળે

Image
ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર : અમિત શાહ ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે : ગૃહમંત્રી અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહિ મળે કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે કહી આપ અને કોંગ્રેસને જુઠ્ઠાણાનું જોડાણ કહ્યું. ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધોમધખતી ગરમિમાં મળી હતી. ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ, બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા. તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું. અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે, મનસુખભાઇ જેવો જનપ્રતિનિ...

મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી

Image
અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે મતદાન જાગૃત્તિ અભિયાન અંર્તગત કાર્યક્રમ યોજાયો  મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃત્તિ માટે કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો – મતદારો, મતદાન કરી શકે તે માટે તેમને ઘરબેઠાં મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદારને લાઇનમા ઉભા નહી રહેવાનું જેવી વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા (સક્ષમ) એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું.  અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને ...

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

Image
મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન ઇન્કમટેક્ષ ઓફીસ ભરૂચ દ્વારા Income Tax awareness ના પ્રોગ્રામ નું આયોજન અત્રેની સંસ્થા ખાતે કરવામાં આવેલ, જેમાં ઇન્કમટેક્ષ ઓફીસમાથી બીના રાવલ મેડમ (IT-officer) અને એમની પુરી ટીમ હાજર રહી હતી. જેમાં શ્રી ઇલ્યાસભાઇ ઘાંચી C.A. ( I.T. Department) દ્વારા ઇન્કમટેક્ષ વિશે સરળ અને સચોટ સમજ આપી હતી. જેનાથી તાલીમાર્થીઓ અને સ્ટાફમિત્રો ખુબજ પ્રભાવિત થયા હતા.  આ પ્રોગ્રામ માં આઇ.ટી.આઇ. ના હેડ આરીફ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવેલ અને પ્રાસંગિક પ્રવચન શ્રી ઇલ્યાસભાઇ ઘાંચી (IT DEPARTMENT)દ્વારા આપવામાં આવેલ. ઇન્કમટેક્ષ ઓફીસર બીના રાવલ મેડમ દ્વારા સંસ્થાનો પ્રોગ્રામ કરવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. અંતમાં પ્રોગ્રામમાં આવનાર મેહમાનો અને હાજર જનોનો આભાર શ્રી યુસુફ એ. મતાદાર દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. સદર પ્રોગ્રામમાં આઇ.ટી.આઇ. સ્ટાફે ખડે પગે રહી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો. તમામ પ્રોગ્રામનું એન્કરીંગ શ્રી રીયાઝ મ.હનીફ કડ્વા AOCP ઇન્સ્ટ્ર્કર દ્...

વજાપુરા માંથી ગેરકાયદેસર માટી ખનનનું કૌભાંડ જડપાયું

Image
દહેજ ના વજાપુરા માંથી ગેરકાયદેસર માટી ખનનનું કૌભાંડ જડપાયું, ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા વાગરા તાલુકાના દહેજ મા આવેલાં વજાપુર ગામે ગેરકાયદે રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમને મળી હતી. જેના પગલે સ્થળ પર દરોડો પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઇ રહયું છે પણ ખાણ અને ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતાં રહે છે. દહેજ ના વજાપુર ગામે કેટલાંક શખ્સો ગેરકાયદે રીતે સાદી માટી ચોરી કરવાનો કારસ્તન રચી રહ્યાં છે. જેના પગલે ભરૂચ ના ભુસ્તરશાસ્ત્રી નરેશ જાનીએ તેમની ટીમને સુચના આપતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરે ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી. ટીમે સ્થળ પરથી એક હિટાચી મશીન તેમજ માટી ખનન કરતા અન્ય સાધનો તેમજ એક ટ્રકને પણ જપ્ત કરી હતી.   ટીમે સ્થળ પર જીપીએસ પોઇન્ટના આધારે કેટલું ખનન કરાયું છે તેના ડેટા મેળવવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક પુછપરછમાં માટી ચોરીનો આખો કારસો દહેજ ખાતે રહેતાં કોઈ એક શખ્...

ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

Image
લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે .ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. #gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ પિયુષ મીસ્ત્રી