Posts

Showing posts from March, 2024

દિપક નાઇટ્રાઇટ કંપની માંથી11 લાખના કેમિકલની ચોરી

Image
 વધુ એક કંપની માં ચોરી નો બનાવ બન્યો,જાણો વિગત  દિપક નાઇટ્રાઇટ કંપની માંથી11 લાખના કેમિકલની ચોરી ભરૂચ દહેજમાં દિપક નાઇટ્રાઇટ કંપનીમાં હાઇડ્રોજનમાં રિએક્શનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ઉપયોગી કેટાલિસ્ટ કેમિકલ મહારાષ્ટ્રના ડોંબીવલી ખાતેની ઇવોનિક કેટાલીસ્ટ કંપનીમાંથી મંગાવ્યું હતું.  તેમણે કુલ 38.15 લાખની મત્તાનું 89.51 કિગ્રા જેટલું કેટાલિસ્ટ કેમિકલ મંગાવ્યું હતું .જે તેમણે કંપનીના વેરહાઉસમાં અલગથી બનાવેલાં પતરાનું નાનું કેબીન બનાવી તેમાં રાખ્યું હતું. કંપનીમાં પ્રોડક્શનમાં તેમણે કુલ 62 કિલો જેવું કેટાલિસ્ટ કેમિકલ વાપર્યું હતું. જે પૈકીનું 11.50 લાખની મત્તાનું 27 કિલો કેટાલિસ્ટ એક કારબામાં ભરી વેરહાઉસના કેબીનમાં મુક્યું હતું. કેબીનને બંધ કરી તેની ચાવી સ્ટોર એક્ઝિક્યુટીવ વિનોદ સહાયની પાસે હતી.  દરમિયાનમાં ગઇકાલે કંપનીમાં કેટાલિસ્ટ કેમિકલની જરૂરિયાત હોઇ તે લેવા જતાં કેબીનનું તાળું તુટેલું હોવાનું જણાયું હતું. જેથી કોઇ ચોરે તેમના વેરહાઉસમાંથી ચોરી કરી જતાં કોર્મશિયલ મેનેજરે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ પિયુષ...

હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા

Image
જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે . હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે .  જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માર્ટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફ ળિયાના યુવાનો દ્વારા તેને જરૂયિાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી કૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે લોકવાયકા મુજબ ઇલાજી હોલીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઇ ગયું હતું અને રાખ જોઇ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે.  અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીન...

ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલયે મનસુખ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ પત્રકાર મિત્રો સાથે હોળી પર્વની કરી ઉજવણી

Image
ભારત સાથે ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૃગુઋષિના ભવ્ય ભરૂચના નિર્માણ તરફ ભાજપની મોદી સરકાર : મનસુખ વસાવા જનસંઘથી લઈ ભાજપ સુધી પ્રામાણિક અને સ્પષ્ટ વકત્તા મનસુખભાઇની 6 ટર્મની સફરથી મોદીજી પણ પ્રભાવિત : રમેશ મિસ્ત્રી ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલયે મનસુખ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ પત્રકાર મિત્રો સાથે હોળી પર્વની કરી ઉજવણી ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વે સ્નેહમિલન કાર્યકમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હમેન્દ્ર પ્રજાપતિ, શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા. ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધુળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભાજપના ઉમેદવા...

ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદના ચાર ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી

Image
ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ દ્વારા ચાર ઉપપ્રમુખોની વરણી કરાઈ ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદના ચાર ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી જેમાં પાટણ ન્યુઝ ના કમલેશભાઈ પટેલ પાટણ, અરવલ્લી જિલ્લાના શૈલેષ કે પંડ્યા સંદેશ ન્યુઝ ચેનલ, રાજકોટ જિલ્લાના ધર્મેશ ભાઈ વસંત લોક ફરીયાદ,કચ્છ ભૂજ જિલ્લામાંથી અને જયમલ સિંહ જાડેજા માં ન્યુઝ આશાપુરા ચેનલના કચ્છ, આમ 4 ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે..  ગુજરાત પત્રકાર એકતા પરિષદ ગુજરાતની અંદર 33 જિલ્લા અને 252 તાલુકામાં સંગઠન ની વરણી થઈ ચૂકી છે, અને સાથે 26 જિલ્લાઓનું અધિવેશન પણ થઈ ચૂક્યું છે, આમ પત્રકાર એકતા પરિષદ ગુજરાતના તમામ જિલ્લામાંથી હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે.. તો પત્રકાર મિત્રો માટે ખુશી ની વાત છે અને આ ગુજરાત પત્રકાર એકતા પરિષદ વધુમાં વધુ સંગઠન મજબૂત થાય અને પત્રકારોના પ્રશ્નો માટેની રજૂઆત છે સરકારશ્રીમાં વહેલામાં વહેલી તકે પત્રકારોને લાભ મળે તે માટે સંગઠનના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે અને ગુજરાતના દરેક જિલ્લામાંથી દરેક પ્રતિનિધિઓ અધીવેશનમાં પહોંચે છે.. અને જે તે જિલ્લામાં...

અંકલેશ્વરની HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે 8 ગ્રાહકોની નકલી FD બનાવી 70 લાખ ચાઉં કરી લીધા, જુવો સમગ્ર વિગત

Image
અંકલેશ્વર / બેંકના ભેજાબાજ આસિસ્ટન્ટ મેનેજરે ગ્રાહકોના 70 લાખ ચાઉં કર્યા, આ રીતે આચર્યું કૌભાંડ અંકલેશ્વરની HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે 8 ગ્રાહકોની નકલી FD બનાવી 70 લાખ ચાઉં કરી લીધા હતા. ગ્રાહકો પાસે પરિવારના ખાતામાં FD કરાવશો તો વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી ગ્રાહક અને બેંક સાથે છેતરપિંડી કરી હતી. જો કે એક ગ્રાહકે અન્ય બેંકમાં FD અંગે તપાસ કરવા જતા ભાંડો ફૂટતા બ્રાન્ચ મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે . અંકલેશ્વર પ્રતિન ચોકડી પર આવેલ HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ FD કરવા આવતા ગ્રાહકોને લોભામણી લાલચ આપી છેતરી લીધા હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત 19મી માર્ચના રોજ અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે આવેલ HDFC બેન્ક માં મહેશ ચૌહાણ નામનો બેંકનો ગ્રાહક પોતાના FD નંબર આપી FD થયેલ છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો. આ દરમિયાન નંબર જોઈ બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલને શંકા જતા તેઓ મહેશ ચૌહાણને પૂછતાં આ FD તેમણે HDFC બેંક મુખ્ય બ્રાન્ચમાંથી કરાવી હોવાનું સામે આવ્યું હ...

અંકલેશ્વર જીઆઇડીસી ઝેડ.સી.એલ કંપની માં ફેબ્રિકેશન કામ કરવા આવેલ કર્મચારી પડી જતા મોત

Image
અંકલેશ્વર જીઆઇડીસી ઝેડ.સી.એલ કંપની માં ફેબ્રિકેશન કામ કરવા આવેલ કર્મચારી પડી જતા મોત કંપનીના પ્લાન્ટ નંબર 5 પાછળ પડેલી હાલત માં માથા ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યો  હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા તબીબે મૃત જાહેર કર્યો  જીઆઇડીસી પોલીસ એ અકસ્માતે મોત ગુનો નોંધી હતી.  અંકલેશ્વર જીઆઇડીસી ઝેડ.સી.એલ કંપની માં ફેબ્રિકેશન કામ કરવા આવેલ કર્મચારી પડી જતા મોત નીપજ્યું હતું. કંપનીના પ્લાન્ટ નંબર 5 પાછળ પડેલી હાલત માં માથા ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યો હતો. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા તબીબે મૃત જાહેર કર્યો હતો. જીઆઇડીસી પોલીસ એ અકસ્માતે મોત ગુનો નોંધી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઝેડ.સી.એલ કંપની ખાતે ફેબ્રીકેશન ના કામ અર્થે મૂળ યુપી.ના અને હાલ સારંગપુર મારૂતીધામ 1 માં રહેતા 35 વર્ષીય સંજય રામવિલાસ વર્મા આવ્યા હતા. 21 માર્ચ ના રોજ સવારે સવા નવ વાગ્યાના અરસામાં પ્લાન્ટ નંબર 5 ના પાછળ ના ભાગ એ જમીન ઉપર પડેલા હતા એના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. જેને અન્ય કામદારો ની મદદ થી ત્વરિત અસર થી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં ફરજ પરના તબી...

ભરૂચ, દ્વારા સૌ પ્રથમ સનાતન સાંસ્કૃતિક પરંપરા અને વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર વૈદિક હોળી તરફ વળવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું

Image
સત્ ચેતના પર્યાવરણ સંગઠન - ભરૂચ, દ્વારા સૌ પ્રથમ સનાતન સાંસ્કૃતિક પરંપરા અને વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર વૈદિક હોળી તરફ વળવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ વૈદિક હોળીના અભિયાનને સાત વર્ષ સંપન્ન થાય છે.  દિન પ્રતિદિન ભરૂચ ખાતે આ વૈદિક હોળીના અભિયાનમાં વધુને વધુ સોસાયટીઓ સાથ આપી જોડાઈ રહી છે. આ વર્ષે પણ ભરૂચની ૧૬૫ કરતાં વધુ સોસાયટી દ્વારા ૧૫,૦૦૦ કીલો (૧૫ટન) ના ગૌકાષ્ઠ અર્થાત્ ગોબર સ્ટીકના વિપુલ પ્રમાણમાં ઉપાડ તેમજ સત્ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા સૌજન્યપૂર્વક અપાતાં છાણા, હવન સામગ્રી, કપૂર, છાણમાંથી બનાવેલ દિવડાં થકી દરેક સોસાયટીના કોમન પ્લોટમાં સનાતન સાંસ્કૃતિક પરંપરાની વિધિસર વૈદિક હોળી પ્રગટાવી ઉજવવામાં આવનાર છે. આમ આ સફળ વૈદિક હોળીના અભિયાન હેઠળ પંચમહાલના પછાત આદિવાસીઓના ભાઈ-બહેનોને આજીવિકા, ગૌ શાળાનું પાલન, સનાતન સાંસ્કૃતિક પરંપરા તેમજ વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણ અને કપાતાં વૃક્ષોમાં અટકાવ એવા ઉમદા હેતુઓ જળવાઈ રહે છે. ભરૂચ જિલ્લામાં આ વાતે સત્ ચેતના પર્યાવરણ સંગઠન ગૌરવ અને હર્ષની લાગણી વ્યક્ત કરે છે. #gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ પિયુષ મીસ્ત્રી 

પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે "આનંદમેળા"નું આયોજન કરવામાં આવ્યું

Image
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે "આનંદમેળા"નું આયોજન કરવામાં આવે છે. જેમા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવે છે. સાથો સાથ બાળકોનો સર્વાંગી વિકાસ થાયએ માટે આયોજન કરવામાં આવ્યું. આનંદ મેળોએ બાળકોમાં સર્જનાત્મક શક્તિઓને વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાન ની સમજ કેળવાય તથા વિવિધ કૌશલ્યો નો વિકાસ થાય તેવા હેતુસર આણંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં ગ્રામજનો તથા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ આનંદ મેળો જોતા ટાઉનનું ખાની પીની નું બજાર યાદ આવે એવું હતું ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણનું આ એક સરાહનીય પગલું કહેવાય.  પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનીતાબેન વસાવા તથા શાળા પરીવાર દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક કુમાર શાળાના આ આનંદમેળાને એસ.એમ.સી અઘ્યક્ષ બાલુભાઈ વસાવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  આ આનંદમેળામાં ખાણીપીણીના ૨૬ જેટલા સ્ટોલ, રમત ગમતના સ્ટ...