Posts

Showing posts from December, 2024

ખાણખનીજ વિભાગ ની ટીમનું અનેક જગ્યા પર આકસ્મિક ચેકીંગ

Image
બિનઅધિકૃત રેતીનું વહન કરતાં વાહનોનું આકસ્મિક ચેકીંગ, રૂ. 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો... ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતાં વાહનોનું ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતાં વાહનોનું ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિનઅધિકૃત રેતીનું વહન કરતાં 10 ટ્રકોને અટક કરી રૂ. 2 કરોડ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભુસ્તરશાસ્ત્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ડમ્પરો દ્વારા ખનીજના બિનઅધિકૃત વહન અટકાવવા સારું ખાણ ખનીજની તપાસણી ટીમ ધ્વારા તા. 18 અને 19 ડિસેમ્બર 2024ના રોજ રાત-દિવસ આકસ્મિક વાહન ચેકીંગ કરતાં રાજપારડી, નેત્રંગ, ઝગડીયા, શુકલતીર્થ અને દહેજ રોડ ખાતેથી સાદીરેતી, બ્લેકટ્રેપ તથા કાર્બોશેલ જેવા ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં કુલ 10 ટ્રકોને અટક કરી કુલ રૂ. 2 કરોડ અને 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાણ ખનીજ વિભાગ-ભરૂચ દ્વારા ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગેના 248 કેસ કરી ર...

ક્રેડાઈ ભરૂચ દ્વારા આયોજિત વિદાય અને સ્વાગત સમારંભ યોજાયો

Image
ક્રેડાઈ ભરૂચ દ્વારા આયોજિત વિદાય અને સ્વાગત સમારંભ યોજાયો  ભરૂચના પ્રમુખ, નિષિધભાઈ અગ્રવાલ નાં માર્ગદર્શન હેઠળ, ક્રેડાઈ ભરૂચના સભ્યો દ્વારા ગત રોજ સાંજે 7 વાગ્યે ભરૂચના હોટલ હયાત પ્લેસ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.  આ સમારંભ ભરૂચના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, તુષાર સુમેરા (આઈએએસ) ને વિદાય આપવા અને નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગૌરંગ મકવાણા (આઈએએસ) નું સ્વાગત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ મહેમાનો માટે ફૂલોથી સ્વાગત કરીને કરવામાં આવ્યો હતો, જેમાં શામેલ હતા: તુષાર સુમેરા (આઈએએસ), નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગૌરંગ મકવાણા (આઈએએસ), નિવાસી કલેક્ટર એન. આર. ધાધલ, પ્રણય દવે આ સમારંભ દરમિયાન ક્રેડાઈ ભરૂચના ચેરમેન, રોહિતભાઈ ચદ્દરવાલા અને નિષિધ અગ્રવાલે તુષાર સુમેરા ની ઉત્કૃષ્ટ સેવા માટે આભાર વ્યક્ત કરતાં તેમના હૃદયસ્પર્શી વિચારો શેર કર્યા. તેમણે ગૌરંગ મકવાણા નાં નવા નેતૃત્વ માટે તેમની અપેક્ષાઓ અને આશાઓ પણ વ્યક્ત કરી. તુષાર સુમેરા અને ગૌરંગ મકવાણા બંનેએ ભરૂચ જિલ્લાનાં સતત વિકાસ માટે તેમની દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા શેર કરવાની તક...

ગુજરાત ખેડૂત સમાજ" ના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરુચ કલેક્ટર કચેરીએ આવેદન અપાયું

Image
હાઇ ટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધ ખેડૂત સમાજે ભરુચ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઇ ટેન્શન લાઇન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ તાનાશાહી વિરુદ્ધ "ગુજરાત ખેડૂત સમાજ" ના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરુચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણેCollectorને આવેદનપત્ર સુપ્રત કરી, આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્ર સોપતી વખતે જયેશભાઈ પાલ, રમેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, હનીફ ભાઈ (હાંસલોદ), નવફલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે. તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહીપૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માગ કરી હતી. આગેવાનોને સ્પષ્ટ કરી દીધું છે કે જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. "ખેડૂતોના હિતો માટે અમે કોઈપણ આકરી ચાળે જવાની...

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં

Image
ડેટોકસ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ, એકની લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો. બલાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામા મચવ્યો છે. આ દુર્ઘટનાને લઈ એક કામદારે જણાવ્યું હતું કે, ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયું હતું. જેમાં 10થી 12 લોકો મળી રહ્યાં નથી. જેમાં અંદરથી એવા સમાચાર મળી રહ્યાં છે કે બોડી મળી નથી રહી અને તેઓનું મૃત્યુ થયું છે. અંદરનું મેનેજમેન્ટ જોકે સવારના 11:30 ...

17 વર્ષીય સગીરાને હવસખોરે વારંવાર પીંખી

Image
2 માસનો ગર્ભ રહેતાં ભાંડો ફૂટ્યો; દરજીકામ કરતા આરોપીએ દુકાને આવતી મહિલા-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી અંકલેશ્વરમાં એક પરણિત પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે, આ મામલે અંકલેશ્વર પોલીસે આ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરમાં રહેતો 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ કર્યું હતું, જેના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો શરુ થઈ ગયો હતો. માતાને આ અંગે જાણ થતાં તે પોતાની દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તબીબી પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ જાણતાં જ માતા અને પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, ઝડપાયેલો આરોપી સગીરાને જુદી-જુદી જગ્યાએ મળવા બોલાવતો હતો. સપ્ટેમ્બ...

વાગરાના વજાપરામાં માટીખનન સામે તંત્રની ગુજ્યું,18 ડમ્પર અને 2 એકસવેટર મશીન કબજે કરાયા

Image
18 ડમ્પર અને 2 એકસવેટર મશીન કબજે લેવાયાં : ડ્રાઇવરોએ મગનું નામ મરી ન પાડયું વાગરાના વજાપરામાં માટીખનન સામે તંત્રની ગાજ,‎ 10 કલાકની કાર્યવાહીમાં 5 કરોડનો મુદ્દામાલ જપ્ત‎ ભરૂચ ખાન ખનિજ વિભાગ ને આ વખતે મળી મોટી સફળતા,જો આજ રીતે શુક્લતીર્થ થી ઝનોર વાળા પટ્ટા પર જો રેડ થાય તો આના કરતાં મોટી સફળતા મળે એમ છે. વાગરા તાલુકાના વજાપરા વિસ્તારમાં ચાલતી માટીખનનની પ્રવૃતિ પર દરોડો પાડી 18 ડમ્પર અને 2 અેકસવેટર મશીન સહિત 5.02 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલી હતી. હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહયું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી. ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઇ રહયો છે. શુકલતીર્થમાં નર્મદા નદીમાં 3 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ ગેરકાયદે રેતીખનન બાદ હવે માટીખનન સામે તંત્રએ તવાઇ બોલાવી છે. ભુસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટુ કૌભાંડ ઝડપી પાડયું છે. સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી તપાસ કર...

Upl યુનિવર્સિટી ઓફ બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરાયું

Image
UPL યુનિવર્સિટીમાં બાયોલોજિકલ ઘટકોના વિભાજન અને શુદ્ધિકરણમાં 'ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશન'નો ઉપયોગ વિષય પર પરિસંવાદનું આયોજન અંકલેશ્વરની UPL યુનિવર્સિટી દ્વારા "ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશન'નો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની UPL યુનિવર્સિટી ઑફ સસ્ટેઇનેબલ ટેકનોલોજી દ્વારા આજ 30 નવેમ્બરના રોજ "ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન IICHE-SRICT સ્ટુડન્ટ ચેપ્ટર હેઠળ ડિપાર્ટમેન્ટ ઑફ કેમિકલ એન્જિનિયરિંગ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગનાં વ્યાવસાયિકો, શિક્ષાવિદો, સંશોધકો, અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ પરિસંવાદમાં રસાયણિક ઉદ્યોગના પ્રણેતા સ્વ. પદ્મશ્રી ડૉ. કેકી ઘરડાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સેમિનારમાં UPL યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. શ્રીકાંત જે. વાઘ, ઘરડા કેમિકલના એસો.વાઇઝ પ્રેસિડેન્ટ ઉત્તમકુમાર ખત...