Upl યુનિવર્સિટી ઓફ બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરાયું

UPL યુનિવર્સિટીમાં બાયોલોજિકલ ઘટકોના વિભાજન અને શુદ્ધિકરણમાં 'ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશન'નો ઉપયોગ વિષય પર પરિસંવાદનું આયોજન

અંકલેશ્વરની UPL યુનિવર્સિટી દ્વારા "ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશન'નો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની UPL યુનિવર્સિટી ઑફ સસ્ટેઇનેબલ ટેકનોલોજી દ્વારા આજ 30 નવેમ્બરના રોજ "ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન IICHE-SRICT સ્ટુડન્ટ ચેપ્ટર હેઠળ ડિપાર્ટમેન્ટ ઑફ કેમિકલ એન્જિનિયરિંગ આયોજિત કરવામાં આવ્યું હતું.


જેમાં ઉદ્યોગનાં વ્યાવસાયિકો, શિક્ષાવિદો, સંશોધકો, અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ પરિસંવાદમાં રસાયણિક ઉદ્યોગના પ્રણેતા સ્વ. પદ્મશ્રી ડૉ. કેકી ઘરડાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સેમિનારમાં UPL યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. શ્રીકાંત જે. વાઘ, ઘરડા કેમિકલના એસો.વાઇઝ પ્રેસિડેન્ટ ઉત્તમકુમાર ખત્રી, UPL યુનિવર્સીટીના પ્રમુખ અશોક પંજવાણી સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

#gujatatniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ