અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં

ડેટોકસ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ, એકની લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી

અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી.

અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો. બલાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામા મચવ્યો છે.

આ દુર્ઘટનાને લઈ એક કામદારે જણાવ્યું હતું કે, ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયું હતું. જેમાં 10થી 12 લોકો મળી રહ્યાં નથી. જેમાં અંદરથી એવા સમાચાર મળી રહ્યાં છે કે બોડી મળી નથી રહી અને તેઓનું મૃત્યુ થયું છે. અંદરનું મેનેજમેન્ટ જોકે સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે ઘટના ઘટી હતી પરંતુ હજુ સુધી તેમની ગણતરી જ ચાલી રહી છે અને તેઓ ક્યાં ગયા તે બતાવી પણ રહ્યાં નથી. ધીરે ધીરે તેઓ બોડી બહાર કાઢે છે. એક બોડી જંગલમાંથી મળી છે જે અત્યારે મળી છે. બ્લાસ્ટ થયું અને જ્યાંથી બોડી મળી છે તે બંને વચ્ચે અંદાજે 100 મીટર જેટલું અંતર છે તો આટલી દૂર બોડી કેવી રીતે પહોંચી અને એક જ લાશ કેમ ગઈ, બાકીના 10-12 લોકો ક્યાં છે? તેઓનું કંઈ જ અતોપતો નથી. આ કંપની તેઓને છુપાવવાની કોશિશ કરી રહી છે. કોઈ કંઈ જ બતાવી રહ્યું નથી.



કામદારે એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે કંપની ધીરે ધીરે 3-4 લોકોની લાશને બાયપાસ કરી રહી છે. જેમના સંબધી છે તેઓ આવશે અને જેમના સંબધી નહીં હોય તે શું કરશે. કંપની આવી અને કહે કે શું થયું કેટલા લોકો હતા, કેટલાના મોત થયા. જે હિસાબે બ્લાસ્ટ થયું તે જોતા તો કોઈ બચ્યું નહીં હોય. કેમ કે કોઈનું હાથ મળી રહ્યું છે, કોઈનું પગ મળી રહ્યું છે, કોઈનું ગળું મળી રહ્યું છે અને કોઈનું કમરની નીચેનું ભાગ મળી રહ્યું છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે.

જે કંપનીના પ્લાન્ટમાં ફિડ ટેન્ક પર રેલીંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં રેલીંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને 4 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી.

બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસકાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ લોકોનાં ટોળાં પણ કંપની બહાર એકઠાં થઈ ગયાં છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો