Posts

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ

Image
 દેવ ઘોઘારાવ મહારાજની એક દંત કથા બંગાળના હેરવા ખાતે જેવર રાજા રાજય કરતા હતાં. તેની સ્વરૂપવાન પત્નીનું નામ બાછલ. રૂપ–રૂપનાં અંબાર સમી બાછલનાં ખોળાને ખુંદનાર કોઇ સંતાન ન હતું. વંશ વેલો ચાલુ રહે તેવા સંતાન સુખથી આ દંપતિ વંચિત હતું. રાજા દંપતિ સતત ચિંતિત હતા અને તેઓએ સંતાન પ્રાપ્તી માટે અનેક દાન ધર્મો કર્યા હતા.  યજ્ઞો કર્યા, સાધુ સંતોને બોલાવી તેઓના આર્શિવાદ મેળવ્યા પણ આશાનું કોઇ કિરણ નજેર પડતું ન હતું. બીજી તરફ બાછલની સગી બહેન જે તેની હુબહુ શકલ ધરાવતી હતી તેને ખોળે પણ સંતાન ન હતું. બંને બહેનો સંતાન સુખની પ્રાપ્તિ માટે અનેક સાધુ સંતોની પાસે જઇ આવી હતી. સંતાન સુખની પ્રાપ્તી માટે રાજા જેવરસિંહે ૯૯ યજ્ઞ કર્યા હતા. જેને લઈ ઈન્દ્ર લોકની ગાદી પણ હચમચી જવા પામી હતી અને ત્યારે ઈન્દ્રદેવે રાજા જેવરસિંહ યજ્ઞ કેમ કરે છે તે જાણવા માટે નારદમુની અને શનિદેવને ધરતી લોક ઉપર મોકલ્યા હતા જે બાદ તેઓ રાજા જેવરસિંહ પાસે આવે છે અને યજ્ઞ કરવાનું કારણ પુછે છે ત્યારે રાજા તેઓને યજ્ઞ સંતાન પ્રાપ્તીની ઈચ્છા માટે કરતા હોય તે વાત જણાવે છે ત્યારે નારદ મુની તેઓને કહે છે કે, આ મૃત્યુલોકમાં એક એવા સિધ્ધ યોગી છે ક...

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે આજે "નશામુક્તિ અભિયાન" કાર્યક્રમનું આયોજન કરાયું

Image
"નશામુક્તિ અભિયાન" કાર્યક્રમ મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે આજે "નશામુક્તિ અભિયાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.ટી. દેસાઈ મેડમ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. પી.એસ.આઈ. મેડમે પોતાના વક્તવ્યમાં નશાના ગંભીર પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે નશો માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તેના પરિવાર અને સમાજને પણ કેવી રીતે નુકસાન પહોંચાડે છે. તેમણે નશામુક્ત જીવન જીવવાના ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તાલીમાર્થીઓને નશામુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ નશાના દૂષણથી બચાવવા માટે સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમના અંતે, આઈ.ટી.આઈ.ના ઇન્ચાર્જ શ્રી રિયાઝ કડવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નશા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને તેમને એક સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં સફળ રહ્યો. #gujaratniparchha...

ભાજપના નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ

Image
ભરૂચમાં 2015માં થયેલી ભાજપના નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કેસના આરોપી યુનુસ શેખ ઉર્ફે યુનુસ માંજરાની મિલકતને અમદાવાદની NIA વિશેષ કોર્ટના આદેશથી ટાંચમાં લઈ સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક કક્ષાએ ભારે ચર્ચા જાગી છે. હત્યાનો ઘટનાક્રમ અને આરોપીઓ 2 નવેમ્બર, 2015ના રોજ ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલી 'સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસ'માં બની હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત જાવેદ ચીકનાના ઈશારે થઈ હતી. તેમણે હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ કેસમાં NIA દ્વારા અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે હાલ જેલમાં છે. આ ઉપરાંત, એક આરોપી હજી પણ વોન્ટેડ છે, જ્યારે એકનું મૃત્યુ થયું છે. NIAની કાર્યવાહી NIAની ટીમે અમદાવાદની વિશેષ કોર્ટના આદેશ બાદ ભરૂચના સોનેરી મહેલ વ...

શિવા ફાર્માકેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ

Image
દહેજ SEZ-1 માં આવેલી શિવા ફાર્માકેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ, બે કામદારોના મોત,એક કામદાર ને બરોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ  રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ SEZ-1 માં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે. ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે.  પ્રાથમિક માહિતી અનુસાર, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હોતો. ઘટનાની જાણ થતા જ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  જોકે, આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે. તેવો રોષ કામદાર સંગઠન...

SP મયુર ચાવડા દ્વારા 19 PI અને 6 PSIની આંતરીક બદલી, પ્રમોશન મેળવેલ PIને પોસ્ટિંગ મળ્યું

Image
 BREAKING NEWS: ભરૂચ: SP મયુર ચાવડા દ્વારા 19 PI અને 6 PSIની આંતરીક બદલી, પ્રમોશન મેળવેલ PIને પોસ્ટિંગ મળ્યું પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. તો આ તરફ 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલી કરાવી છે. Police Transfer List તાજેતરમાં જ પ્રમોશન મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર બનેલા અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ઝઘડિયા, હાસોટ, અંકલેશ્વર રૂરલ અને નબીપુર સહિતના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.વહીવટી કારણોસર જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. #gujaratniparchhai 

ભરૂચ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી (TDO) નરેશ લાડુમોરને માહિતી આયોગ દ્વારા ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો

Image
ભરૂચ તાલુકા પંચાયતના TDO નરેશ લાડુમોરને ફરી ₹5000નો દંડ: ફરજમાં બેદરકારીનો આરોપ રિપોર્ટર,પીયુષ મીસ્ત્રી  ભરૂચ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી (TDO) નરેશ લાડુમોરને માહિતી આયોગ દ્વારા ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ માહિતી પૂરી પાડવામાં વારંવાર થતી બેદરકારીના કારણે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તેમને આમોદના TDO તરીકે ફરજ બજાવતી વખતે માહિતી ન આપવા બદલ ₹5000નો દંડ કરવામાં આવ્યો હતો, જે તેમની ફરજ પ્રત્યેની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નરેશ લાડુમોર સામે માહિતીના અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવેલી જાણકારી સમયસર ન પૂરી પાડવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. આયોગે નોંધ્યું હતું કે સમાન પ્રકારની બેદરકારી બદલ તેમને અગાઉ પણ દંડિત કરવામાં આવ્યા હોવા છતાં, તેમની કાર્યશૈલીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આ ઘટના સરકારી અધિકારીઓની ફરજ પ્રત્યેની જવાબદારી અને પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે. સામાન્ય નાગરિકોને સરકારી કામકાજ વિશે માહિતી મેળવવાનો અધિકાર છે અને આ અધિકારનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. નરેશ લાડુમોર સામે થય...

જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તા અને બ્રીજોના મરામત ની કામગીરી ઝડપથી હાથ ધરાઈ

Image
ભરૂચ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તા અને બ્રીજોના મરામત ની કામગીરી ઝડપથી હાથ ધરાયેલ છે. ભરૂચ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના હસ્તકના માર્ગો અને પુલોની સ્થિતિની સલામતી ના હેતુસર, ભરુચ જિલ્લા કલેકટર સાહેબના માર્ગ દર્શન હેઠળ વહીવટી તંત્રની વિશેષ ટીમો બનાવી કામગીરી ઝડપથી અમલમાં લાવવામાં આવ્યું છે. તા. ૧૧/૦૭/૨૦૨૫ના રોજ સંયુક્ત ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં ફેલાઈને જુદા-જુદા બ્રીજ તથા રસ્તાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સુચિત સ્થળોએ તાત્કાલિક ધ્યાન આપીને, તૂટેલા રસ્તાઓ અને જોખમી બન્યા એવા જૂના બ્રીજોની મરામત કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ની કુલ ૬ ટીમો બનાવી કુલ ૫ મેજર બ્રીજ ૧૫ માઈનોર બ્રીજ ૬૫ સ્લેબ ડ્રેઈન ની ફરીથી ચકાસણી કરવામાં આવી તથા મરામતની કામગીરી પૂર્ણ કરેલ ૩૨ જેટલા રસ્તા પર નિરીક્ષણ કરવામાં આવ્યુ. તેમજ મરામતની કામગીરી પ્રગતિ હેઠળના રસ્તાઓને ઝડપી પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. આ રસ્તા રીપેરની કામગીરીથી નાગરિકોને ભોગવવી પડતી મુશ્કેલી ઓથી રાહત મળી રહી છે અને લોકોમાં સંતોષની લાગણી જોવા મળી છે. ભવિષ્યમાં આવી તકલીફો...