૧૫ ગામ માછી-પટેલ સમાજના ૧૮ યુગલોએ લઈધા દાંપત્યજીવનમાં પગલા
રિપોટર,પિયુષમિસ્ત્રી
ભરૂચ જિલ્લાના ગંધાર ગામે તારીખ ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ ભરૂચ અને સમૂહ લગ્ન સમિતિ ગંધારના સંયુકત ઉપક્રમે ૨૨મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને ભાઈચારા ભર્યા માહોલમાં યોજાયો
આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૧૮ યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી. આજના સમયમાં લગ્ન પ્રસંગો ખર્ચાળ બન્યા છે, અને દરેક પરિવાર માટે તેનો ખર્ચ વહન કરવો શક્ય બનતું નથી. આવી પરિસ્થિતિમાં સમાજના સહયોગથી આયોજિત સમૂહ લગ્નોત્સવો જેવી વ્યવસ્થાઓ ખૂબ સહાયરૂપ સાબિત થઈ રહી છે.
૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા અત્યાર સુધીમાં ૨૧ સમૂહ લગ્નોત્સવોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. લોકોના ઉમદા સહયોગ અને સંકલનના આધારે આ વર્ષે પણ ૨૨મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ખાસ ઉપસ્થિતિ આપી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.તે ઉપરાંત સમાજના અનેક અગ્રણીઓ, યજમાનોએ શુભકામનાઓ પાઠવી હતી. આ લગ્નોત્સવ દરમિયાન લગભગ ૭,૦૦૦થી વધુ લોકોની ભવ્ય ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ એક હિટાચી મશીન તેમજ ૦૧ ડમ્પર મળી રૂપિયા ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ખરોડ ગામની સીમમાં રેડ કરતા હિટાચી મશીન ટ્રક પકડ્યું ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ ૫ મી ફેબુઆરી ની વહેલી સવારે ૦૪:૦૦ કલાકે અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખરોડ ગામની સીમ માં ટાટા હિટાચી મશીન મશીન દ્વારા સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ વાહન ટ્રક નંબર- (૧) GJ-16-AV-5293 માં સાદી માટી ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલિસ સ્ટેશન પાનોલી ખાતે રાખવામાં આવ્યા છે. વધુમાં તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર થયેલ ખોદકામ વાળા ખાડાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #gujaratniparchhai
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો ભરૂચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરૂદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ રિપોર્ટર, મનીષ કંસારા ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યા નાં સંબંધ લજવાયા છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચઢ્યા છે. વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળકી શાળાનાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અણછાજતું વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામી નાં ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર 2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી. ફાધર કમલેશ રાવલની હરકતો હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. આ સમય દરમિયાન કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથ...
Comments
Post a Comment