નિયોજેન કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા સમગ્ર MPP3 પ્લાન્ટ બળી ને ખાખ

દહેજ સેઝ 2 માં નિયોજેન કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા સમગ્ર MPP3 પ્લાન્ટ બળી ને ખાખ

રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 

+ પ્લાન્ટમાં લાગેલી આગે વેરહાઉસને પણ લપેટમાં લીધી


+ 16 ફાયર બ્રિગેડની ટીમોએ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

 + અકસ્માત સમયે રાત્રે કંપનીમાં કામ કરતા તમામ 128 કામદારો સુરક્ષિત

DISH એ આગના કારણની તપાસ શરૂ કરી

ભરૂચ જિલ્લાના દેહજ સેઝ 2 માં મંગળવારે મોડી રાત્રે નિયોજેન કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પ્લાન્ટ અને વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આગની બીજી ઘટના સામે આવી છે. મંગળવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે દહેજ SEZ 2 માં સ્થિત NEOGEN કેમિકલ્સના 3-મિથાઈલફોસ્ફિનિકો-પ્રોપિયોનિક એસિડના MPP-3 પ્લાન્ટમાં અચાનક આગ લાગી ગઈ.

પ્લાન્ટમાં હાજર જ્વલનશીલ રસાયણો અને એસિડને કારણે, આગ થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી ગઈ. ભીષણ આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હોવાથી ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું.

વિકરાળ આગ લાગવાની જાણ થતાં જ ભરૂચ જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમો દહેજની અન્ય કંપનીઓના ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી.દહેજ પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ઔદ્યોગિક ફાયર સેફ્ટી અને હેલ્થ ટીમ પણ આગગ્રસ્ત કંપનીમાં દોડી ગઈ હતી.

નિયોજેન કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારો અને નજીકના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ ભીષણ આગ કંપનીના MPP 3 પ્લાન્ટ અને વેરહાઉસને પોતાની લપેટમાં લઈ ગઈ હતી. જિલ્લાના 16 ફાયર વાહનો દ્વારા 5 થી 5:30 કલાકની મહેનત બાદ બુધવારે સવારે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

ભરૂચ સ્થિત ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક મંડળના અધિકારી આશુતોષ મેરેયાએ જણાવ્યું હતું કે, આગ લાગી ત્યારે 128 કર્મચારીઓ ફરજ પર હતા. તે બધા કંપનીમાંથી સુરક્ષિત રીતે નીકળી ગયા હતા. કોઈપણ કર્મચારી કે વ્યક્તિને કોઈ ઈજા કે અન્ય અકસ્માત થયો નથી. હાલમાં, DISH ટીમ આગના કારણની તપાસમાં જોડાઈ છે.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ