જંબુસર સીટી સર્વે કચેરીના સિનિયર સર્વેયર હસમુખભાઈ નાનજીભાઈ શ્રીમાળી જેઓ વય નિવૃત થતા હોય કચેરી ખાતે વિદાય સમારંભ ભરૂચ ડીઆઈએલઆર કચેરી હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સી એમ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
https://youtu.be/F1OwUZEZpj4?si=cqCcvUW9bJDYE0XJ
જંબુસર સીટી સર્વે કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર સર્વેયર હસમુખભાઈ શ્રીમાળી વયનિવૃત થતા હોય હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સીએમ વસાવાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ભરૂચ કચેરી મેન્ટેનન્સ સર્વેયર કે ડી પટેલ, નાયબ મામલતદાર નવલભાઇ, દર્શનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સરકારી નોકરીમાં બઢતી, બદલી અને વય નિવૃત્તિ એ એક ભાગ છે.હસમુખભાઈ શ્રીમાળી જેવો 9 10 96 ના રોજ પ્રથમ ભુજ ખાતે સર્વેયર તરીકે દાખલ થયા હતા.ત્યારબાદ ભરૂચ, વડોદરા ફરજ બજાવી હતી. અને 23/12/2024 થી જંબુસર કચેરી ખાતે બદલી થઈ હતી. તેઓ 31/3/2025 ના રોજ વય નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજાયો જેમાં દરેક અધિકારી, કર્મચારીઓએ હસમુખભાઈ સાથે વિતાવેલી ક્ષણોની ઝલક આપી ભાવવિભોર બન્યા હતા.અને તેઓનું પુષ્પગુચ્છ આપી,સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આગામી જીવન દિર્ધાર્યું,નિરોગી,તથા ધાર્મિકતા અને પરિવાર,સમાજના કાર્યોમાં વિતાવે તથા કચેરીને તેમની સલાહ સેવાની જરૂર પડે ત્યારે સેવા આપવા જણાવ્યું હતું.હસમુખભાઈ શ્રીમાળી એ પણ સેવા આપવાની તત્પરતા દાખવી અને જંબુસર કચેરી સ્ટાફ સાથે વિતાવેલ સમયના સંસ્મરણો વાગોળતા ભાવુક થયા હતા.અને તેમની માતાના ચરણસ્પર્શ કરી આશિષ મેળવ્યા હતા.આ પ્રસંગે જંબુસર,અંકલેશ્વર સીટી સર્વે કચેરી સ્ટાફ, સબ રજીસ્ટર કચેરી ચિરાગભાઈ સહિત પરિવારજનો હાજર રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ એક હિટાચી મશીન તેમજ ૦૧ ડમ્પર મળી રૂપિયા ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ખરોડ ગામની સીમમાં રેડ કરતા હિટાચી મશીન ટ્રક પકડ્યું ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ ૫ મી ફેબુઆરી ની વહેલી સવારે ૦૪:૦૦ કલાકે અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખરોડ ગામની સીમ માં ટાટા હિટાચી મશીન મશીન દ્વારા સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ વાહન ટ્રક નંબર- (૧) GJ-16-AV-5293 માં સાદી માટી ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલિસ સ્ટેશન પાનોલી ખાતે રાખવામાં આવ્યા છે. વધુમાં તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર થયેલ ખોદકામ વાળા ખાડાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #gujaratniparchhai
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો ભરૂચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરૂદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ રિપોર્ટર, મનીષ કંસારા ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યા નાં સંબંધ લજવાયા છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચઢ્યા છે. વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળકી શાળાનાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અણછાજતું વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામી નાં ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર 2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી. ફાધર કમલેશ રાવલની હરકતો હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. આ સમય દરમિયાન કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથ...
Comments
Post a Comment