વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો કેદ થતા ગામ જનનોએ રાહતનો શ્વાસ લીધો

ઉછાલી ગામની સીમમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો કેદ

ગ્રામજનોની રજૂઆતના પગલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ગ્રામજનોની રજૂઆતના પગલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું.

ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના આદિવાસી વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાઈ છે. હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખા દે છે. ઉછાલી ગામમાં દીપડો જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

દીપડો દેખાતાં ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લેતાં ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે સવારના સમયે દીપડો પાંજરામાં કેદ થયો હતો. આ સમાચાર ફેલાતાં જ લોકોના ટોળેટોળાં દીપડાને જોવા ઉમટ્યા હતા.

વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી શરૂ કરી છે. ચાર દિવસ પહેલાં પણ અંકલેશ્વરના ખરોડ ગામમાં એક દીપડો પાંજરામાં પકડાયો હતો. વન્યજીવો જંગલ વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ