અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના

કોહાઇજન લાઈફ સાયન્સ કંપનીમાંથી 18 હજારના કોપર વાયરની ચોરી, દીવાલ કૂદીને તસ્કરો ફરાર

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે. કંપનીમાં નવા પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં અજાણ્યા તસ્કરોએ કંપનીની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો. તસ્કરો ખુલ્લામાં પડેલા કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલ માલસામાનની કિંમત રૂપિયા 18 હજાર થવા જાય છે.

આ ઘટના અંગે કંપનીના એસોસિએટ ડાયરેક્ટર રીતેશ અમરજીત ધીરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિક બાતમીદારોને સક્રિય કર્યા છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ