ચાલોદ તેમજ ભેરસમ – સાયખાં માર્ગ પરથી મોટા પ્રમાણમા માટી ખનન વપરાતા સાધન સહિત ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ચોલાદ ગામે ગેરકાયદે માટી ખનન પર છાપો; તેમજ ભેરસમ – સાયખાં માર્ગ પરથી ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો
પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન્ડ અને વાગરાના ભેરસમ- સાયખાં રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સિઝ કર્યા, ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા
https://youtu.be/78eSCKRpg9g?si=YZ0P6mcZ902UsLM0
તત્વો પર વહીવટી તંત્ર એ લગામ કસવા કમર કસી છે.આ અંગે અનેક વિધ ફરિયાદો ઉઠવા પામી હતી.જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વો માં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એ એક પછી એક જગ્યા એ પોતાની ટીમ ને લઈ ગેરકાયદે ખનન ની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી ને અંજામ આપી રહ્યા છે.ત્યાંજ ગતરોજ નાયબ કલેકટર મનીષા મનાણી ને ભરૂચ ના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતુ હોવાની માહિતી સાંપડી હતી.
માહિતી મળવા સાથેજ મહિલા અધિકારી પોતાની ટીમ ને લઈ રાત્રી ના અંધકારમાં નીકળી પડ્યા હતા.ચોલાદ ની સીમમાં અવાવારૂ સ્થળે પહોંચી જઇ ગેરકાયદે માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયા ના વાહનો ને સીઝ કરી તાલુકા પોલીસ ના હવાલે કર્યા હતા.જ્યારે વાગરા ના સાયખાં- ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડયા હતા.છ હાઈવા જેની કિંમત રૂપિયા ૨.૪ કરોડના મુદ્દમાલ કબ્જે લઈ વાગરા પોલીસ ને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલ તો મહિલા અધિકારી ની કાર્યવાહી ને લઈ ખનીજ નું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે.
ભરૂચના વેજલપુર ખાતે ખારવા પંચ યુવા સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને ભવ્ય સન્માન સમારોહ યૉજાયો રિપોર્ટર, પિયુષ મિસ્ત્રી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ટ્રસ્ટીગણ અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું; નિવૃત્ત શિક્ષકોનું પણ વિશિષ્ટ સન્માન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહક મંચ મળે તેવા શુભ આશય સાથે ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ના ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે "ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ - ૨૦૨૬" નું અત્યંત ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ધોરણ ૧૦ અને ૧૨ માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવનાર, તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વેજલપુર અને આસપાસના સોસાયટી વિસ્તારના ખારવા, હાંસોટી અને માછી સમાજના ૭૦ જેટલાં ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પંચના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક કાર્યકરોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ માટે પ્રેરક માર્ગદર્શન પ...
ભરૂચમાં જૂનું મકાન ધરાશાયી; ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી એક કામદારનો આબાદ બચાવ! રિપોર્ટર,પિયુષમિસ્ત્રી ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ, દશા માતાજીનાં મંદિર પાસે આજે એક જૂનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું (તોડી પાડવાનું) કામ ચાલી રહ્યું હતું, જેમાં કુલ ત્રણ વ્યક્તિઓ રોકાયેલા હતા. મકાન તૂટી પડતાં જ કાટમાળ નીચે કામ કરી રહેલા ત્રણ પૈકીના એક વ્યક્તિ, ટીનાભાઈ, દબાઈ ગયા હતા. અન્ય કામદારો અને સ્થાનિકોએ તરત જ મદદ માટે બૂમરાણ મચાવી હતી. 🔥 ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સમયનો વ્યય કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈનો જીવ જોખમમાં હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની સૂઝબૂઝ, તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ, ગણતરીના સમયમાં ટીનાભાઈને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 🏥 હાલત સ્થિર, હોસ્પિટલમાં ખસેડાયા ટીનાભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ...
સહજાનંદ એવન્યુ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ વચ્ચે પ્રકૃતિના જતન માટે જાગૃતિ લાવવી ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે. આ જ ઉમદા હેતુ સાથે ગઈકાલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે સ્થાનિક સહજાનંદ એવન્યુના સક્રિય રહીશો અને કાર્યકરો દ્વારા પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે એક પ્રેરણાદાયી સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ અવસરે સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને સોસાયટીની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને આ દિવસની સાર્થક ઉજવણી કરી હતી. સક્રિય કાર્યકરોનું નોંધપાત્ર યોગદાન આ સમગ્ર પર્યાવરણલક્ષી કાર્યક્રમને સફળ બનાવવામાં સહજાનંદ એવન્યુના સક્રિય અગ્રણીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં:શ્રી શનિભાઈ પટેલ અને શ્રીમતી ભાવિશા પટેલશ્રી મિતેશભાઈ સવાણી,અને શ્રીમતી કૃપાલી સવાણી શ્રી પ્રજ્ઞેશ પટેલ અને શ્રીમતી અનસૂયા પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ રોકડિયા,શ્રી પ્રદીપભાઈ પટેલ, શ્રી મયંકભાઈ હિંગુ, શ્રી વીરુભાઈ રાજ્યગુરુ તથા શ્રી સુલભ શ્રીવાસ્તવ આ તમામ કાર્યકરોએ હાજર રહીને માત્ર વૃક્ષો વાવ્ય...
Comments
Post a Comment