ચાલોદ તેમજ ભેરસમ – સાયખાં માર્ગ પરથી મોટા પ્રમાણમા માટી ખનન વપરાતા સાધન સહિત ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ચોલાદ ગામે ગેરકાયદે માટી ખનન પર છાપો; તેમજ ભેરસમ – સાયખાં માર્ગ પરથી ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો
પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન્ડ અને વાગરાના ભેરસમ- સાયખાં રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સિઝ કર્યા, ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા
https://youtu.be/78eSCKRpg9g?si=YZ0P6mcZ902UsLM0
તત્વો પર વહીવટી તંત્ર એ લગામ કસવા કમર કસી છે.આ અંગે અનેક વિધ ફરિયાદો ઉઠવા પામી હતી.જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વો માં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એ એક પછી એક જગ્યા એ પોતાની ટીમ ને લઈ ગેરકાયદે ખનન ની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી ને અંજામ આપી રહ્યા છે.ત્યાંજ ગતરોજ નાયબ કલેકટર મનીષા મનાણી ને ભરૂચ ના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતુ હોવાની માહિતી સાંપડી હતી.
માહિતી મળવા સાથેજ મહિલા અધિકારી પોતાની ટીમ ને લઈ રાત્રી ના અંધકારમાં નીકળી પડ્યા હતા.ચોલાદ ની સીમમાં અવાવારૂ સ્થળે પહોંચી જઇ ગેરકાયદે માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયા ના વાહનો ને સીઝ કરી તાલુકા પોલીસ ના હવાલે કર્યા હતા.જ્યારે વાગરા ના સાયખાં- ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડયા હતા.છ હાઈવા જેની કિંમત રૂપિયા ૨.૪ કરોડના મુદ્દમાલ કબ્જે લઈ વાગરા પોલીસ ને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલ તો મહિલા અધિકારી ની કાર્યવાહી ને લઈ ખનીજ નું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ એક હિટાચી મશીન તેમજ ૦૧ ડમ્પર મળી રૂપિયા ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ખરોડ ગામની સીમમાં રેડ કરતા હિટાચી મશીન ટ્રક પકડ્યું ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ ૫ મી ફેબુઆરી ની વહેલી સવારે ૦૪:૦૦ કલાકે અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખરોડ ગામની સીમ માં ટાટા હિટાચી મશીન મશીન દ્વારા સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ વાહન ટ્રક નંબર- (૧) GJ-16-AV-5293 માં સાદી માટી ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલિસ સ્ટેશન પાનોલી ખાતે રાખવામાં આવ્યા છે. વધુમાં તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર થયેલ ખોદકામ વાળા ખાડાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #gujaratniparchhai
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો ભરૂચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરૂદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ રિપોર્ટર, મનીષ કંસારા ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યા નાં સંબંધ લજવાયા છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચઢ્યા છે. વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળકી શાળાનાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અણછાજતું વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામી નાં ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર 2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી. ફાધર કમલેશ રાવલની હરકતો હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. આ સમય દરમિયાન કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથ...
દેવ ઘોઘારાવ મહારાજની એક દંત કથા બંગાળના હેરવા ખાતે જેવર રાજા રાજય કરતા હતાં. તેની સ્વરૂપવાન પત્નીનું નામ બાછલ. રૂપ–રૂપનાં અંબાર સમી બાછલનાં ખોળાને ખુંદનાર કોઇ સંતાન ન હતું. વંશ વેલો ચાલુ રહે તેવા સંતાન સુખથી આ દંપતિ વંચિત હતું. રાજા દંપતિ સતત ચિંતિત હતા અને તેઓએ સંતાન પ્રાપ્તી માટે અનેક દાન ધર્મો કર્યા હતા. યજ્ઞો કર્યા, સાધુ સંતોને બોલાવી તેઓના આર્શિવાદ મેળવ્યા પણ આશાનું કોઇ કિરણ નજેર પડતું ન હતું. બીજી તરફ બાછલની સગી બહેન જે તેની હુબહુ શકલ ધરાવતી હતી તેને ખોળે પણ સંતાન ન હતું. બંને બહેનો સંતાન સુખની પ્રાપ્તિ માટે અનેક સાધુ સંતોની પાસે જઇ આવી હતી. સંતાન સુખની પ્રાપ્તી માટે રાજા જેવરસિંહે ૯૯ યજ્ઞ કર્યા હતા. જેને લઈ ઈન્દ્ર લોકની ગાદી પણ હચમચી જવા પામી હતી અને ત્યારે ઈન્દ્રદેવે રાજા જેવરસિંહ યજ્ઞ કેમ કરે છે તે જાણવા માટે નારદમુની અને શનિદેવને ધરતી લોક ઉપર મોકલ્યા હતા જે બાદ તેઓ રાજા જેવરસિંહ પાસે આવે છે અને યજ્ઞ કરવાનું કારણ પુછે છે ત્યારે રાજા તેઓને યજ્ઞ સંતાન પ્રાપ્તીની ઈચ્છા માટે કરતા હોય તે વાત જણાવે છે ત્યારે નારદ મુની તેઓને કહે છે કે, આ મૃત્યુલોકમાં એક એવા સિધ્ધ યોગી છે ક...
Comments
Post a Comment