મુન્શી વિદ્યાલય ખાતે ૭૬ મા પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી

ભરૂચના મુન્શી વિદ્યાધામમાં ૭૬માં  પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો 

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, હરહંમેશ અનેક પ્રકારની અવનવી સ્પર્ધા તેમજ કાર્યક્રમાં પણ અગ્રેસર રહી છે.

સવારે ૮:૩૦ કલાકે મુન્શી મહિલા બી.એડ. કોલેજના ઇન-ચાર્જ આચાર્ય શ્રીમતી ડૉ.પરવીન અન્સારીના વરદ હસ્તે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું. 

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આવેલા મહેમાન તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એ માટે પ્રોત્સાહન ઇનામ પણ આપ્યું હતું. અને મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. સુહેલભાઈ દુકાનદાર, સ્કૂલના આચાર્ય, તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા શ્રીમતી ડૉ.પરવીન અન્સારીએ દેશની લાગણી તથા સ્વાતંત્રય સેનાનીઓએ કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી અને દેશમાં સુખ-શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી.

આ પ્રોગ્રામના અંતમાં પધારેલા મુખ્ય મહેમાન ઓની આભારવિધિ કરવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે હાજરજનોને લાડુ ખવડાવી મો મીઠું કરી પ્રોગ્રામ ને પૂર્ણ કરેલ હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો