વાગરા તાલુકાના વહિયાલ ગામે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ

વાગરા વહિયાલ ગામે મકાનની દીવાલ ધરાશાયી થતા બે વીજપોલ તૂટી પડ્યા, સદનસીબે જાનહાનિ ટળી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. તે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા બે વિજપોલ પણ તૂટી પડ્યા હતા.જેને કારણે વીજપુરવઠો ખોરવાય ગયો હતો.જોકે વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ સમારકામ કાર્ય હાથ ધર્યું હતું.સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાઇ ન હતી.



વાગરા તાલુકાના વહિયાલ ગામના બ્રાહ્મણ ફળીયા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે રોડની અડીને આવેલી વર્ષો જૂનું અને જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાસાય થઈ ગઈ હતી.જેને કારણે નજીકમાંથી પસાર થતી વીજ લાઇનના બે વિજપોલ પણ તૂટી પડતા એક સમયે અફરાતફરી મચી ગઇ હતી.વીજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડયા હતા. જેથી પંથકનો વીજપુરવઠો પણ ખોરવાય ગયો હતો. ઘટના સાંજના સમયે બની હતી,તે સમયે રસ્તા ઉપરથી કોઈ રાહદારી કે વાહન પસાર થતું ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

વીજપુરવઠો ખોરવાઈ જતા આખી રાત કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.ઘટનાની જાણ કરવામાં આવતા આજરોજ સવારે વાગરા વીજ કચેરીના કર્મીઓએ સમારકામ હાથ ધર્યું હતું.નવા વિજપોલ તેમજ વાયરો નાખવાની કામગીરી આરંભી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ