સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાડા ખાતે જરૂરિયાતમંદ બાળકોમાટે નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

અંકલેશ્વરના અંદાડા ગામે જે સાંઈ ટ્રસ્ટ દ્વારા વિદ્યા વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ

આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે આ કેન્દ્ર થકી મળી રહેશે 

અંકલેશ્વરમાં સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે યોગદાન આપનાર જે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાડા ખાતે જરૂરિયાતમંદ બાળકોમાટે નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરમાં પ્રતિ ગુરુવારના રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ નિઃશુલ્ક નોટબુક ગણવેશનું વિતરણ કરનાર જે સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક આયામ ઉભો કર્યો હતો. અંદાડા ખાતે આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે મળી રહે તે માટે જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્ર શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનુ લોકાર્પણ ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ભાજપના આગેવાન મગન માસ્ટર, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવત,અંદાડાના સરપંચ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.





આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ કે આ વિદ્યાધામ થકી અંદાડા, સામોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના પછાત તેમજ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ તેમજ વ્યક્તિત્વલક્ષી જ્ઞાનને વિક્સાવવામાં આ કેન્દ્ર ઉપયોગી નિવડશે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ