ભૂસ્તર શાસ્ત્રી અને મદદનીશ નિયામક અને ફ્લાઈંગ સ્કોર્ડ સુરત નો ક્લાસ 1 અધિકારી નરેશ જાની અને કપિલ પ્રજાપતિ રૂ. 2 લાખ ની લાંચ લેતા ઝડપાયો

ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા વારંવાર કહેતા હતા કે ભરૂચ ખાણખનીજ વિભાગ ના અધિકારીની જ મીલીભગત ખનીજ ચોરી થાય છે. એ આજે સાબિત થયું.

ભરૂચમા ભૂસ્તર શાસ્ત્રી અને મદદનીશ નિયામક અને ફ્લાઈંગ સ્કોર્ડ સુરત નો ક્લાસ 1 અધિકારી નરેશ જાની અને કપિલ પ્રજાપતિ રૂ. 2 લાખ ની લાંચ લેતા ઝડપાયો

રેતીની કામગીરી દરમિયાન ફરિયાદીને હેરાનગતિ નહિ કરવા માંગી હતી લાંચ

ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાની આખરે લાંચ લેતા પકડાયો

લીગલ કામ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરતો હતો,માટી અને રેતી માફિયાઓ સાથે સીધી ભાગીદારી જ કરતો હતો !!

ભરૂચ જિલ્લામાં સૌથી ભ્રષ્ટ અધિકારી કોણ ? જો તેની સ્પર્ધા રાખવામાં આવે તો ખાણ ખનીજ ખાતાનો નરેશ જાની પહેલો નંબર લાવે. કારણ કે, તેની સામે ભ્રષ્ટાચારની અનેક ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા પણ જાહેરમાં ફરીયાદો કરી રહી હતા. 

ભરૂચ કલેક્ટરને તેમના તાબાના અધિકારીની આટલી ફરિયાદ થતી હોવા છતાં તેની સામે કોઈ પગલા લેવાતા ન હતાં. પરંતુ પાપનો ઘડો ફુટે છે તે વાત સાર્થક થતી હોય તેમ ભરુચના ભ્રષ્ટાચારીઓનો સરદાર લાંચ લેતા પકડાય જતાં હવે તેની કાળી કરતૂતોને બહાર આવવાનો માર્ગ મોકળો થયો છે.


ભરુચના ભુસ્તર શાસ્ત્રી સહીત સુરત અલગ અલગ ફ્લાઈંગ સ્કોર્ડ જિલ્લાઓમાં ચાર્જ સંભાળનાર નરેશ જાનીએ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી હતી. ભરુચમાં રેતી અને માટી માફિયાઓ સાથે મીલિભગત રાખી તે ખનીજ ચોરોને મોકળુ મેદાન આપતો હતો. જો કોઈ જગ્યાએ રેઈડ પાડે તો પણ નામ પુરતી કાર્યવાહી કરી ખનીજ માફિયાઓ સાથે મોટા ખેલ પાડી તેમની ગેરકાયદેસર પ્રવૃતિ સામે આંખ આડા કાન ધરતો હતો. એટલુ જ નહીં, તે ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ ગાંઠતો નહોતો. ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા એ પણ જિલ્લા કલેકટર સુધી પણ તેના ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ગઈ હોવા છતાં તેની સામે કલેક્ટર પણ પગલા ભરતા નહોતાં. એવામાં હવે સુરતમાં તેનું નામ 2 લાખની લાંચ લેવામાં સામે આવ્યુ છે. નરેશ જાનીનું પાપ હવે ખુલ્લુ પડી જતાં તેણે ભરૂચમાં કેવા કેવા ખેલ કર્યા તે દિશામાં તપાસ થશે તેની સંભાવના છે.


આધારભુત સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નરેશ જાની લીગલ રેતીના સ્ટોક માટેની પરમીશન પર સહી કરવાના પણ 2 લાખ લેતો હતો. તેમજ ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરનારાઓ સાથે તે સીધી ભાગીદારી કરતો હોવાની પણ જાણકારી મળી રહી છે. ખનીજ ચોરી અંગેની ફરીયાદોમાં પણ તે હંમેશા ખનીજ માફિયાઓને બચાવવાના પ્રયાસ કરતો હતો. અહંકારથી ભરેલો નરેશ જાની એવી ડંફાશ મારતો હતો કે, ભાજપ સરકારમાં તેનું કશુ થવાનું નથી. કારણ કે, તે એકલો પૈસા ખાતો નથી. ઉપલા અધિકારીઓને ગાંધીનગર સુધી હિસ્સો પહોંચાડે છે. હવે લાંચ રુશ્વત વિરોધી શાખા નરેશ જાનીના રિમાન્ડ મેળવી તેની અને તેના પરિવારના સભ્યોની કેટલી મિલકત છે તેમજ તેણે ક્યાં – ક્યાં કેટલુ રોકાણ કર્યુ છે તે દિશામાં તપાસ કરે તો ભ્રષ્ટાચારીઓને સરદાર તેને કેમ કહેવો તે સામે આવી જશે.

#gujaratniparchhai

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો