ઉમિયા માતાજીના દિવ્ય રથની નગર યાત્રા આજે ભરૂચ શહેરમાં પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત
વિશ્વ ઉમિયા રથનું આજેજ ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું
વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગર યાત્રા આજે ભરૂચ શહેરમાં પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરાયું સાથે જ મહા આરતી અને રાસ ગરબા યોજાયા
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધર્મ શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સામાજિક વૈશ્વિક સંસ્થા
આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સમાજ અને વ્યાપારિક સંબંધોમાં વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાત મંદ પરિવારોને શિક્ષણ આરોગ્ય રોજગાર સ્પોર્ટ્સ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માન પૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવના ને મજબૂત બનાવવાના લક્ષ સાથે સંસ્થા અનેક કાર્યો કરી રહી છે ત્યારે અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર નજીક 100 વીઘા જમીનમાં 1,000 કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહેલ છે ત્યારે જગતજનની માં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ દેદિપ્યમાન મંદિરના નિર્માણમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે.
ત્યારે આજરોજ ઝાડેશ્વર સાંઈ મંદિરે બપોરે 1:30 કલાકે ઉમિયા માતાના રથ આવતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મહા આરતી અને રાસ ગરબા યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજ ના લોકો અને અન્ય સમાજના લોકો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ આ રથ ચામુંડા મંદિર તુલસીધામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી સાંજે ભરૂચ જીઆઇડીસી કડવા પાટીદાર સમાજની વાડીમાં રાત્રી રોકાણ કરી આવતીકાલે રથ આગળ પ્રસ્થાન થશે.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment