ટ્રેક્ટર પલટી મારી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત

ભરૂચ જીલ્લાના ઝગડીયા તાલુકા મા થયો ભયાનક અકસ્માત

ટ્રેક્ટર પલટી મારી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત

 ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 23થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.




પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ લોકો ઉમલ્લા વડીયા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા, જ્યાંથી ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.


રિપોર્ટર ઝઘડિયા

જીજ્ઞેશ રાજપુત

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો